offers

Friday, 23 October 2015

અંતરાત્માનો અવાજ સાંભળવાની જરુર છે.

નાના ગામમાં રહેતા એક સામાન્ય સ્થિતિના ખેડુતની હાથમાં પહેરવાની ઘડીયાલ ખોવાઇ ગઇ. ઘડીયાલ જુના જમાનાની હતી પરંતું ખેડુત માટે તો એ અમૂલ્ય હતી કારણ કે આ ઘડીયાલ કોઇ ખાસ વ્યક્તિએ ભેટમાં આપી હતી. ઘડીયાલ શોધવા માટે ખેડુતે આકાશ પાતાળ એક કર્યા. ગુસ્સામાં બરાડા પાડતા પાડતા ઘરનો એક એક ખુણો જોયો પણ ક્યાંય ઘડીયાલ ના મળી. એને વિચાર આવ્યો કે હું નાના બાળકોની મદદ લઉં કારણ કે હું જ્યાં નથી જોઇ શકતો કે નથી જઇ શકતો ત્યાં આ બાળકો જોઇ શકશે અને જઇ શકશે. એણે બાળકોને લાલચ આપી કે જે મારી કાંડા ઘડીયાલ શોધી આપશે એને હું 100 રૂપિયાનું ઇનામ આપીશ. ઘડીયાલ ઘરમાં જ ક્યાંક ખોવાઇ છે પણ મને મળતી નથી. ઇનામની વાત સાંભળીને બધા જ બાળકો આનંદમાં આવી ગયા. બધા બાળકો ઘડીયાલ શોધવામાં લાગી ગયા. બધા જ બાળકો રૂમમાં ગયા અને જ્યાં જ્યાં ઘડીયાલ મુકી શકાય એવા બધા જ સ્થાન પર જોયુ. 2-3 કલાકની મહેનત પછી પણ પરિણામ શૂન્ય આવ્યુ એટલે બધા બાળકોએ નિરાશ થઇને ઘડીયાલની શોધના અભિયાનને ત્યાં જ પૂર્ણ કર્યુ. થોડીવાર પછી એક બાળક આવ્યો અને પેલા ખેડુતને કહ્યુ , " હું આપની ઘડીયાલ શોધી આપુ પણ શરત માત્ર એટલી જ કે મારી સાથે રૂમમાં બીજુ કોઇ ના આવવું જોઇએ " ખેડુતને તો પોતાની ઘડીયાલ જોઇતી હતી એટલે એણે તો બાળકની વાત સ્વિકારી અને પેલા બાળકે ઘડીયાલની શોધ આદરી . થોડીવારમાં એ હાથમાં ઘડીયાલ લઇને બહાર આવ્યો. ખેડુતને થયુ કે ક્યાંક આ બાળકે ઘડીયાલ ચોરીને સંતાડી તો નહી દીધી હોયને ? અમે બધાએ કલાકોની મહેનત કરી તો પણ ઘડીયાલ ન મળી અને આ માત્ર થોડી મિનિટોમાં શોધી લાવ્યો. એણે બાળકને પુછ્યુ કે તે આ ઘડીયાલ કેવી રીતે શોધી ? બાળકે કહ્યુ કે બીજો વિશેષ પ્રયત્ન કરવાની કોઇ જરુર જ ન હતી. હું રૂમમાં ગયો અને બહારના બારી બારણા બંધ કર્યા અને પછી કાન સરવા કરીને અવાજ સાંભળવા પ્રયાસ કર્યો તો મને ઘડીયાલનો ટીક ટીક અવાજ સંભળાયો અને અવાજની દિશામાં જઇને જોયુ તો ઘડીયાળ મળી ગઇ.
બોધ: મિત્રો, ઓરડાની શાંતિ ઘડીયાલ શોધવામાં મદદરૂપ થઇ તેમ મનની શાંતિ જીવનમાં ઉભી થતી સમસ્યાઓનો ઉકેલ શોધવામાં મદદરૂપ થશે. આપણે પણ બહારના બારી બારણા બંધ કરીને થોડીવાર અંતરાત્માનો અવાજ સાંભળવાની જરુર છે.
-:- અલ્કા મોદી -:-

Thursday, 22 October 2015

દીકરી એટલે સુખ-શાંતિનું પ્રતિક

" જો રાવણ ને ઘેર એક દીકરી હોત તો.............." 


એક નાનું ગામ હતું

.ગામ ની ગણી ગાંઠી વસ્તી

વાણીયા, બ્રાહ્મણ, જેવા સવર્ણ થી માંડી ને કોળી, કણબી,રાજપૂત અને કાટ્યુ  વર્ણ પણ ગામ માં રહે.

ગામ ની અંદર એક માથાભારે દરબાર રહે ગામ ના મોટાભાગ ના લોકો ને અને બહેન -દીકરીઓ ને એક યા બીજા પ્રકારે રંજાડવા નો  તેનો સ્વભાવ

 પાંચ પાંચ વર્ષ ના લગ્ન જીવન પછી નિસંતાન માથાભારે દરબાર ગામ માં માતેલાસાંઢ ની જેમ 

ત્રાસ વર્તાવતો હતો.મોટા ચહેરા પર ભરાવદાર, વીંછી ના આંકડા જેવી વાંકડી મુછ, , લીંબુ ની ફાડજેવી મોટી લાલઘુમ આંખ .તેની આગવી ઓળખ હતી.

માર-ઝુડ કરવી,ખુનાખરાબી કરવા તે તેના કાર્યક્ષેત્ર ની બહાર હતું.પણ ગામ ની પનિહારીઓ ની

મશ્કરી કરવી,તેમજ માનસિક રંજાડ પોહ્ચાડવા અને પરપીડન વૃતિ તેનો શોખ હતો.

 દરબાર ના ઘર નજીક એક નાનું મંદિર  હતું ગામ નો એક બ્રાહ્મણ હમેશા વેહલો સવારે તે મંદિરે શંકર ની  પૂજા કરવા જાય.પૂજા કરવા જતા રસ્તા માં દરબાર નું ઘર પસાર કરવું પડે .

બ્રાહ્મણ  નિત્ય ક્રમ પ્રમાણે રોજે પૂજા કરવા જાય, તે સમયે દરબારને  પોતાના ઘર ની બહાર ઓટલે બેસી ને સવાર માં દાતણ કરવા નો નિયમ .

રોજ બ્રાહ્મણ  ને પૂજા કરવા નીકળવું, અને દરબાર તેને ચીડવવા હાક....... થૂઊઊઊઊઊ ..એમ મોટે થી તેને થુંક ઉડાડે. બ્રાહ્મણ  તેના થુંક થી બચવા સંકોરાતો ,સંકારતો  પસાર થાય., અને જો કદાપી તેનું થુંક જરાક પણ ઉડે તો તે ફરી ઘેર જઈ ,ફરી નાહી અને પછી ફરી પૂજા કરવા જાય,

"માથાભારે સાથે કોણ પંગો લે " તેવા આશય થી લોકો ચુપ ચાપ સહન કરતા હતા, 

તેવી જ રીતે આ બ્રાહ્મણ પણ મૂંગે મોઢે નીચું જોઈ ને મંદિરે જતા આ ત્રાસ સહેતો હતો.

વર્ષો સુધી આમ બનતું આવ્યું

.એક દિવસ સવારે બ્રાહ્મણ નિત્યક્રમ મુજબ મંદિરે જતો હતો,અને દરબાર તેના નિયમ મુજબ ઓટલે બેસી ને દાતણ કરતો હતો. બ્રાહ્મણ તેના ઓટલા પાસે થી પસાર થયો 

પણ આજે દરબારે તેનો ક્રમ ચુકી ને હાક્કક્ક્ક્ક..... થૂઊઊઊઊઊ.. ન કરતા બ્રાહ્મણ ને નવાઈ લાગી 

બ્રાહ્મણે વિચાર્યું કે કદાચ દરબાર નું ધ્યાન તેના ઉપર નહિ પડ્યું હોય.તેથી સહાશ્ચર્ય તે મૂંગે મોઢે ત્યાંથી પસાર થઇ ગયો.ફરી બીજે દિવસે પણ ન ધારેલું તેમ જ બન્યું.તેવી રીતે ત્રીજે દિવસે પણ દરબાર શાંત રહ્યો.હવે બ્રાહ્મણ થી ન રેહવાયું, તેણે દરબાર નજીક જઇ ને પૂછ્યું " દરબાર,હું ઘણા વખત થી તમારા વર્તન ને જોતો આવ્યો છું, કે જયારે જયારે હું પસાર થાઉં ત્યારે તમો મને થુંક ઉડાડતા હતા પણ છેલા ત્રણ દિવસ થી તમો એ તમારું વર્તન બદલાવ્યા નું કારણ મને ન સમજાયું "

દરબાર દાતણ કરતા કરતા ઉભા થયા.બંને હાથ જોડી ને બોલ્યા " હે બ્રહ્મદેવ,ચારેક દિવસ પહેલા મારે ઘેર પુત્રી પ્રસવ થયો છે હવે હું એક દીકરી નો બાપ બન્યો છું.દીકરી નો બાપ નફફટ કે બેશરમ હોય તો અમારા સમાજ માં દીકરી નો કોઈ હાથ ન જાલે.એટલુજ નહી પણ હું તમને એક ને જ આજ સુધી થુંકતો  હતો, પણ હવે અમારો આખો સમાજ મારી સામે થુંકશે આજ સુધી હું જે હતો તે હું નહિ મારો ભુતકાળ હતો કાલ સુધી ગામ ની બેહન દીકરી ને મેં રંજાડી છે તેની જગ્યા એ આજે મને મારી દીકરી દેખાય છે.

કાલે મારી દીકરી મોટી થશે અને એ પણ ગામ ને કુવે પાણી ભરવા જવાની.આજ ની પનિહારીઓ માં મને મારી દીકરી નું મોઢું  દેખાયું,.બ્રહ્મદેવ મને ક્ષમા  કરો. મને મારા ભુતકાળ ના વર્તન ઉપર ઘણું દુખ, અને શરમ છે આપ ભૂદેવ છો  ઈશ્વર ના પૃથ્વી ઉપર ના તમો પ્રતિનિધિ છો,કૃપા કરી મને માફ કરો "કહેતા જ દરબાર ની આંખે આંસુ ના મોતિયા જામીગયા.

હસતા ચહેરે બ્રાહ્મણે જવાબ આપ્યો "દરબાર, સવાર નો ભૂલેલો સાંજે પાછો આવે તો તે ભૂલેલો નથી ગણાતો તમને જે આજે સાચું વસ્યું તે વિચાર મને મહિનાઓ થી આવતો હતો કે દરબાર ની શાન ઠેકાણે લાવવા તેને ઘેર એક દીકરી હોવી જરૂરી છે અને ભગવાને મને સાંભળ્યો, ઈશ્વર તમને સદબુદ્ધી આપે " તેવા આશિર્વચન કહીં, બ્રાહ્મણ પૂજા કરવા મંદિરે ચાલ્યો ગયો 

પૂજા કરી ને પાછા ફરતા ફરી દરબાર નું ઘર વચ્ચે  આવ્યું તેના ઘર તરફ નજર નાખતા જ બ્રાહ્મણ વિચારે ચડી ગયો કે કુદરત ની લીલા કેવી અકળ  છે, કે જેનાથી ભલભલા થરથર કાંપતા હતા તે માથાભારે દરબાર ને ઘેર માત્ર ત્રણ દિવસ થી પુત્રીનો  જન્મ થતા કેટલું પરિવર્તન આવી ગયું ?

જો કદાચ રાવણ ને ઘેર પણ એક પોતાનીપુત્રી હોત ,તો સીતા નું હરણ થયું ન હોત અને તેથી કદાચ રામાયણ પણ  લખાયું ન હોત ,રામ સામે રાવણ ની દુશ્મની ન થઇ હોત,રામ ને પવનપુત્ર હનુમાન જેવો ભક્ત મળ્યો ન હોત , વિભીષણ  લોહી ના સંબંધ તોડી ને દુશ્મન ને આશરે ગયો ન હોત અને તો આપણ ને બહુ પ્રચલિત કેહવત 

" ઘર કા ભેદી લંકા ઢાંએ " પણ મળી ન  હોત.


-- અજ્ઞાત

Sunday, 27 September 2015

सांप का जहर ओर सदमा

अमेरिका मे जब एक कैदी को फांसी की सजा सुनाई गई तो वहा के कुछ वैज्ञानिकों ने सोचा कि क्यों न इस कैदी पर कुछ प्रयोग किया जाये ! तब कैदी को बताया गया कि हम तुम्हें फांसी देकर नहीं परन्तु जहरीला कोबरा साप डसाकर मारेगें !
और उसके सामने बड़ा सा जहरीला साप ले आने के बाद कैदी की आँखे बंद करके कुर्सी से बॉधा गया और उसको सॉप नहीं बल्कि दो सेफ्टी पिन्स चुभाई गई !
और क्या हुआ कैदी की कुछ सेकेन्ड मे ही मौत हो गई, पोस्टमार्डम के बाद पाया गया कि कैदी के शरीर मे सांप के ज़हर के समान ही ज़हर है ।
अब ये ज़हर कहा से आया जिसने उस कैदी की जान ले ली ......वो ज़हर उसके खुद शरीर ने ही सदमे मे उत्पन्न किया था । हमारे हर संकल्प से पॉजिटिव एवं निगेटिव एनर्जी उत्पन्न होती है और वो हमारे शरीर मे उस अनुसार hormones उत्पन्न करती है ।
75% बीमारियों का मूल कारण नकारात्मक सोच से उत्पन्न ऊर्जा ही है ।
आज इंसान ही अपनी गलत सोच से भस्मासुर बन खुद का विनाश कर रहा है ......
अपनी सोच सदैव सकारात्मक रखें और खुश रहें

25 साल की उम्र तक हमें परवाह नहीँ होती कि "लोग क्या सोचेंगे ? ? "
50 साल की उम्र तक इसी डर में जीते हैं कि " लोग क्या सोचेंगे ! ! "

50 साल के बाद पता चलता है कि 
" हमारे बारे में कोई सोच ही नहीँ रहा था ! ! ! "
Life is beautiful, enjoy forever.🌺🌺

Wednesday, 16 September 2015

મારા પિતા

મારા પિતા,


આજે જે લેખ લખવા જઈ રહ્યો છું તે માત્ર લેખ નહિ પરંતુ મારી જીંદગી છે. મારું સર્વસ્વ છે મારો આત્મા છે ...મારા ગુરુ , મારા સખા , મારા સુખ દુખ ના ભાગીદાર, મારા ઈશ્વરે નીમેલા મારા જન્મ દાતા અને પાલનહાર મારા પિતા....


 


કોઈપણ વ્યાખ્યાનકાર માતા વિષે બોલ્યા કરે છે,  સંત મહાત્માઓ પણ માતાના મહત્વ વિશેજ વધારે કહે છે, દેવ-દેવીઓએ પણ માતાના જ ગુણગાન ગયા છે.  લેખકો-કવિઓ એ પણ માતાના ખુબ વખાણ કર્યાં છે. સારી વસ્તુ ને માતાની જ ઉપમા આપવામાં આવે છે. પણ ક્યાય પિતા વિષે બોલાતું નથી. કેટલાક લોકોએ પિતાની કલ્પના ને કલમની ભાષામાં મૂકી છે પણ તે ઉગ્ર, વ્યસની અને મારઝૂડ કરનારા જ હોયછે.... આવા પિતાઓ સમાજમાં એકાદ-બે ટકા હશેજ પણ સારા પિતાઓ વિષે શું લખાયું છે ?


 


પિતાના ઠેકઠેકાણે સંધાયેલા જોડા જોઈએ તો તેમનો પ્રેમ નજરે ચડે. તેમનું ફાટેલું ગંજી જોઈએ તો સમજાય કે ” આપણાંનસીબના કાણા તેના ગંજીમાં પડ્યા છે ”. તેમનો દાઢી વધેલો ચહેરો તેમની કરકસર દેખાડે છે. દીકરા દીકરી ને નવા જીન્સ લઇ આપશે પણ પોતે તો જુનો લેંઘોજ  વાપરશે. સંતાનો ૧૦૦/૨૦૦ રૂપિયા પાર્લર કે સલુન માં જઈને બીલ કરશે પણ તેમનાજ ઘરના પિતા દાઢીનો સાબુ ખલાશ થઇ ગયો  હશે  તો ન્હાવાના સાબુથી દાઢી કરી લેશે. ઘણીવાર તો ખાલી પાણી લગાડી નેજ દાઢી કરી લેતાં હોય છે. રોજ આપણને સગવડ કરી આપનારી માતા યાદ રહે છે. પણ જીવનની આજીવિકાની વ્યવસ્થા કરનારા પિતાને આપણે કેટલી સહજતા થી ભૂલી જઈએ છીએ ?


 


નોકરી માં એક દિવસ રવિવારે રજા મળતા જ ગામડે ફાટ વળી  ને ખેતી કામ કરતા પણ મેં જોયેલા છે અને કપાસ ની ગાંસડી માથે ઉચકી ને સેઢા સુધી લાવતા જોયા છે પિતા ને ... બધાની સામે મોકળા મને માતા રડી શકે છે પણ રાત્રે તકીયામાં મોઢું છુપાવીને ડુસકા ભરે છે તે પિતા હોય છે. 


 


માતા રડે છે પણ પિતાને તો રડી પણ શકાતું નથી. પોતાના પિતા મૃત્યુ પામે છતાં આપણાં પિતા રડી શકતા નથી, કારણકે નાના ભાઈ બહેનો ને સાચવવાના હોયછે,  પોતાની માતા મૃત્યુ પામેતોપણ પિતા રડી શકતા નથી. કારણકે બહેન ને આધાર આપવાનો હોય છે.


 


પત્ની અડધે રસ્તે સાથ છોડી ને જતી રહે તો બાળકોના આંસુ લૂછવાનું કામ પણ પિતા એજ કરવાનું હોય છે. પિતા માંદા પડે ત્યારે તરતજ  દવાખાને  જતા નથી. તે માંદગીથી ડરતા નથી પણ જો ડોક્ટર એકાદ મહિનો આરામ કરવાનું કહી દેશે. તો શું કરવું તેનો ડર લાગે છે. કારણકે દીકરીના લગ્ન અને દીકરાનું શિક્ષણ બાકી હોય છે.  ઘરમાં આવકનું બીજું કોઈપણ સાધન હોતું નથી. પહોચ  હોય કે નહોય પણ દીકરાને એન્જીનીયરીંગ કે મેડીકલમાં પ્રવેશ અપાવે છે. ખેંચ ભોગવીને પણ બાળક ને  નિયમિત  હોસ્ટેલમાં પૈસા મોકલેછે,  પણ કેટલાક દીકરાઓ જે તારીખે પૈસા મળે તેજ તારીખે  પરમીટરૂમમાં પાર્ટીઓ આપે છે અને જે પિતાએ પૈસા મોકલ્યા હોય તેનીજ મજાક ઉડાડે છે. કોઈપણ પરીક્ષા નું પરિણામ આવે ત્યારે માતાજ સહુથી નજીકની લાગે કારણકે બાજુમાં લે છે, વખાણ કરે છે, આશિષ આપે છે, પણ ગુપચુપ જઈને પેંડાના  પડીકા લાવનારા પિતા કોઈના ધ્યાનમાં રહેતા નથી. બાળક આવવાનું હોય તેવી સુવાવડી સ્ત્રીનું ખુબ મહત્વ હોય છે પણ હોસ્પીટલની લોબીમાં અસ્વસ્થ થઈન આમ થી તેમ આંટા મારનારા એ આવનારા બાળકના પિતાની કોઈ નોંધ લેતું નથી. દેવકી-યશોદા ના કાર્યની પ્રશંશા અવશ્ય કરીએ પણ નદીના પુરમાંથી મધરાતે માથા ઉપર બાળકને સુરક્ષિત પણે  લઇ જનારા


 વાસુદેવને પણ મહત્વ આપીએ. રામ એ કૌશલ્યાના પુત્ર અવશ્ય  છે પણ પુત્ર  વિયોગથી તરફડીને મૃત્યુ પામ્યા તે પિતા દશરથ હતા..


 


કોઈપણ સારા પ્રસંગે ઘરની દરેક વ્યક્તિ જતી હોય છે,પણ મરણ ના પ્રસંગે પિતાએજ જવું પડે છે. પિતા શ્રીમંત સાસરું ધરાવતી દીકરીને ત્યાં બહુ જશે નહિ પણ દીકરી ગરીબ ઘરમાં આપી હશે. તો ભલે ઉભા ઉભા ખબર કાઢવા જવું પડે, તે ચોક્કસ દીકરીના ઘરના ચક્કર કાપશે.... યુવાન દીકરો ઘરે મોડો આવે ત્યારે પિતાજ તેની રાહ જોઇને મધરાત સુધી ઉજાગરો કરતા હોય છે. દીકરા ની નોકરી માટે સાહેબ સામે લાચાર થનારા પિતા, દીકરીને પરણાવવા માટે ઠેક ઠેકાણે મુરતિયા જોવા ઉંબરા ઘસતા પિતા, ઘરના લોકો માટે પોતાની વ્યથા અને જરૂરતને કોરાણે મૂકી દેતા પિતા કેટલા ગ્રેટ હોય છે ખરુંને ? 


 


આ બધા જ અનુભવો નઝરે મારી અને લોકો ના જીવન માં બહુ જ બારીકાઇ થી જોયા છે હજુ પિતા વિષે ધણું બધું લખી શકાય છે.


 


બસ હવે વધુ કઈ નહિ લખી શકું ......I LOVE MY FATHER ....... કદાચ શ્રી કૃષ્ણ અને મારા પિતા બંને સામે હોય મારી અને એક ની પસંદ કરવા નું કહે તો હું દોડી ને મારા પિતા ની જ આંગળી  પકડું ... 


 


જો તમને આ લેખ અને વાતો ગમી હોય તો શેર કરજો મિત્રો સાથે જેથી કરી ને એમના કોઈક શબ્દો કોઈક માં-બાપ ને વૃધ્ધાશ્રામે જતા અટકાવશે. તો મારો અને તમારો જન્મારો સફળ ગણાશે ....


Saturday, 22 August 2015

समस्या ओर जीवन

समस्या ओर जीवन 

किसी शहर में, एक आदमी प्राइवेट कंपनी में जॉब करता था . वो अपनी ज़िन्दगी से खुश नहीं था , हर समय वो किसी न किसी समस्या से परेशान रहता था .

एक बार शहर से कुछ दूरी पर एक महात्मा का काफिला रुका . शहर में चारों और उन्ही की चर्चा थी.

बहुत से लोग अपनी समस्याएं लेकर उनके पास पहुँचने लगे ,
उस आदमी ने भी महात्मा के दर्शन करने का निश्चय किया .

छुट्टी के दिन सुबह -सुबह ही उनके काफिले तक पहुंचा . बहुत इंतज़ार के बाद उसका का नंबर आया .

वह बाबा से बोला ,” बाबा , मैं अपने जीवन से बहुत दुखी हूँ , हर समय समस्याएं मुझे घेरी रहती हैं , कभी ऑफिस की टेंशन रहती है , तो कभी घर पर अनबन हो जाती है , और कभी अपने सेहत को लेकर परेशान रहता हूँ ….

बाबा कोई ऐसा उपाय बताइये कि मेरे जीवन से सभी समस्याएं ख़त्म हो जाएं और मैं चैन से जी सकूँ ?

बाबा मुस्कुराये और बोले , “ पुत्र , आज बहुत देर हो गयी है मैं तुम्हारे प्रश्न का उत्तर कल सुबह दूंगा … लेकिन क्या तुम मेरा एक छोटा सा काम करोगे …?”

“हमारे काफिले में सौ ऊंट 🐪 हैं ,
मैं चाहता हूँ कि आज रात तुम इनका खयाल रखो …
जब सौ के सौ ऊंट 🐪 बैठ जाएं तो तुम भी सो जाना …”,

ऐसा कहते हुए महात्मा अपने तम्बू में चले गए ..

अगली सुबह महात्मा उस आदमी से मिले और पुछा , “ कहो बेटा , नींद अच्छी आई .”

वो दुखी होते हुए बोला :
“कहाँ बाबा , मैं तो एक पल भी नहीं सो पाया. मैंने बहुत कोशिश की पर मैं सभी ऊंटों🐪 को नहीं बैठा पाया , कोई न कोई ऊंट 🐪 खड़ा हो ही जाता …!!!

बाबा बोले , “ बेटा , कल रात तुमने अनुभव किया कि चाहे कितनी भी कोशिश कर लो सारे ऊंट 🐪 एक साथ नहीं बैठ सकते …

तुम एक को बैठाओगे तो कहीं और कोई दूसरा खड़ा हो जाएगा.

इसी तरह तुम एक समस्या का समाधान करोगे तो किसी कारणवश दूसरी खड़ी हो जाएगी ..

पुत्र जब तक जीवन है ये समस्याएं तो बनी ही रहती हैं … कभी कम तो कभी ज्यादा ….”

“तो हमें क्या करना चाहिए ?” , आदमी ने जिज्ञासावश पुछा .

“इन समस्याओं के बावजूद जीवन का आनंद लेना सीखो …

कल रात क्या हुआ ? 
1) कई ऊंट 🐪 रात होते -होते खुद ही बैठ गए , 
2) कई तुमने अपने प्रयास से बैठा दिए ,
3) बहुत से ऊंट 🐪 तुम्हारे प्रयास के बाद भी नहीं बैठे … और बाद में तुमने पाया कि उनमे से कुछ खुद ही बैठ गए ….

कुछ समझे ….?? 
समस्याएं भी ऐसी ही होती हैं..

1) कुछ तो अपने आप ही ख़त्म हो जाती हैं ,
2) कुछ को तुम अपने प्रयास से हल कर लेते हो …
3) कुछ तुम्हारे बहुत कोशिश करने पर भी हल नहीं होतीं ,

ऐसी समस्याओं को समय पर छोड़ दो … उचित समय पर वे खुद ही ख़त्म हो जाती हैं.!!

जीवन है, तो कुछ समस्याएं रहेंगी ही रहेंगी …. पर इसका ये मतलब नहीं की तुम दिन रात उन्ही के बारे में सोचते रहो …

समस्याओं को एक तरफ रखो 
और जीवन का आनंद लो…

चैन की नींद सो …

जब उनका समय आएगा वो खुद ही हल हो जाएँगी"...

बिंदास मुस्कुराओ क्या ग़म हे,..
ज़िन्दगी में टेंशन किसको कम हे..

अच्छा या बुरा तो केवल भ्रम हे..
जिन्दगी का नाम ही
कभी ख़ुशी कभी ग़म हे..!!

Sunday, 16 August 2015

जीवन का हल

जीवन का हल 
एक बार एक नव युवक गौतम बुद्ध के पास पहुंचा और बोला
“महात्मा जी, मैं अपनी ज़िन्दगी से बहुत परेशान हूँ , कृपया इस
परेशानी से निकलने का उपाय बताएं।

बुद्ध बोले: “पानी के गिलास में एक मुट्ठी नमक डालो और उसे पियो..।”

युवक ने ऐसा ही किया.।
“इसका स्वाद कैसा लगा ?” बुद्ध ने पुछा।

“बहुत ही खराब, एकदम खारा” युवक थूकते हुए बोला ।

बुद्ध मुस्कुराते हुए बोले: 
“एक बार फिर अपने हाथ में एक मुट्ठी नमक ले लो और मेरे पीछे-पीछे आओ। दोनों धीरे-धीरे आगे बढ़ने लगे और
थोड़ी दूर जाकर स्वच्छ पानी से बनी एक झील के सामने रुक गए।

“चलो, अब इस नमक को पानी में डाल दो , बुद्ध ने निर्देश दिया।" 
युवक ने ऐसा ही किया ।

“अब इस झील का पानी पियो”, बुद्ध बोले ।
युवक पानी पीने लगा,

एक बार फिर बुद्ध ने पूछा: “बताओ इसका स्वाद कैसा है,
क्या अभी भी तुम्हे ये खारा लग रहा है ?” 

“नहीं, ये तो मीठा है , बहुत अच्छा है ”, युवक बोला ।

बुद्ध युवक के बगल में बैठ गए और उसका हाथ थामते हुए बोले:

“जीवन के दुःख बिलकुल नमक की तरह हैं, न इससे कम ना ज्यादा ।
जीवन में दुःख की मात्रा वही रहती है, बिलकुल वही।

लेकिन हम कितने दुःख का स्वाद लेते हैं, ये इस पर निर्भर करता है कि हम उसे किस पात्र में डाल रहे हैं।

इसलिए जब तुम दुखी हो तो सिर्फ इतना कर सकते हो कि खुद के मन को बड़ा कर लो, 

ग़िलास मत बने रहो 

झील बन जाओ ।

Tuesday, 11 August 2015

जीवन का मूल्य

गुरु के पास एक आदमी गया और उसने कहा बताईये गुरूजी जीवन का मूल्य क्या है ?

गुरू ने उसे एक Stone दिया और कहा जा और इस Stone का मूल्य पता करके आ लेकिन ध्यान रखना Stone को बेचना नही है I
            
वह आदमी Stone को बाजार मे एक संतरे वाले के पास लेकर गया और  संतरे वाले को दिखाया और बोला, "बता इसकी कीमत क्या है ?"

संतरे वाला चमकीले Stone को देखकर बोला 12 संतरे ले जा और इसे मुझे दे जा I

वह आदमी संतरे वाले से बोला, "गुरू ने कहा है इसे बेचना नही है I" 

और आगे एक सब्जी वाले के पास गया उसे Stone दिखाया I

सब्जीवाले ने उस चमकीले Stone को देखा और कहा, "एक बोरी आलू ले जा और इस Stone को मेरे पास छोड़ जा I"

उस आदमी ने कहा मुझे इसे बेचना नही है मेरे गुरू ने मना किया है I
       
आगे एक सोना बेचने वाले सुनार के पास गया उसे Stone दिखाया I

सुनार उस चमकीले Stone को देखकर बोला, "50 लाख मे बेच दे" उसने मना कर दिया तो सुनार बोला, "2 करोड़ मे दे दे या बता इसकी कीमत जो माँगेगा वह दूँगा तुझे".....

उस आदमी ने सुनार से कहा, "मेरे गुरू ने इसे बेचने से मना किया है I"

आगे हीरे बेचनेवाले एक जौहरी के पास गया उसे Stone दिखाया I

जौहरी ने जब उस बेसकीमती रुबी को देखा तो पहले उसने रुबी के पास एक लाल कपडा बिछाया, फिर उस बेसकीमती रुबी की परिक्रमा लगाई, माथा टेका, फिर जौहरी बोला, "कहा से लाया है ये बेसकीमती रुबी ? सारी कायनात, सारी दुनिया को बेचकर भी इसकी कीमत नही लगाई जा सकती ये तो बेसकीमती है I"
          
वह आदमी हैरान परेशान होकर सीधे गुरू के पास अपनी आपबिती बताई और बोला, "अब बताओ गुरूजी मानवीय जीवन का मूल्य क्या है ?"
             
गुरू बोले, "तूने पहले Stone को संतरेवाले को दिखाया, उसने इसकी कीमत 12 संतरे की बताई I आगे सब्जीवाले के पास गया उसने इसकी कीमत 1 बोरी आलू बताई I आगे सुनार ने 2 करोड़ बताई और जौहरी ने इसे बेसकीमती बताया I

अब ऐसे ही तेरा मानवीय मूल्य है I इसे तु 12 संतरे मे बेच दे या 1 बोरी आलू मे या 2 करोड़ मे या फिर इसे बेसकीमती बना ले ये तेरी सोच पर निर्भर है कि तु जीवन को किस नजर से देखता है I"
🙏💛🙏

Thursday, 23 July 2015

सरलतआ से कठनाई भली

सरलता ईन्सान को कमजोर बना देती है, मुझे लगता है की ईसी लीये भगवान ने कठनाई उत्पन की होगी


-आत्मज्ञान


Friday, 3 July 2015

જાણો આ વાતોના વિશે જે આપણે એકાંતમાં હોઈએ ત્યારે વિચારવી જોઈએ

બીજાને સલાહ આપવાનું કહેવામાં આવે તો આપણે તરત આગળ હોઈએ છીએ. જ્યારે સ્વયંને સમય-સમય પર કહેવામાં આવતી વાતો કાયમ ભૂલી જઈએ છીએ. આપણને જ્યારે પણ એકાંત મળે છે ત્યારે અમુક સાચી વાતો પર વિચાર કરવો જોઈએ. આ વાતોનું જાણ થવા પર દિમાગ હકારાત્મક દિશામાં વધવા લાગશે, તમે શાંત રહેશો અને સારા પરિણામ મળશે. જાણો આ વાતોના વિશે જે આપણે એકાંતમાં હોઈએ ત્યારે વિચારવી જોઈએ.

1. મારી સાથે જે કંઈ પણ થાય છે, હું એ વસ્તુઓને કંટ્રોલ નથી કરી શકતો. હા, પણ આ વસ્તુઓ પર કઈ રીતે રિએક્ટ કરવું જોઈએ એ મારા વશમાં છે. મારો પ્રતિભાવ જ મારી તાકાત હોવી જોઈએ.

2. જીવનમાં જે કંઈ પણ થાય છે, હું એ બધી જ વસ્તુઓને સ્વીકારું છું. જ્યારે પણ હું આ બધી વસ્તુઓથી પહેલી વખત મળું છું તો પોતાનું સર્વશ્રેષ્ઠ આપવાના ઉદ્દેશ્ય સાથે જ આગળ વધુ છું.

3. જ્યારે હું કોઈ કામમાં વિજય થાવ છું તો હું સ્વયંને એટલું સારું નથી માનતો જેટલું કે લોકો કહે છે. એવી જ રીતે જ્યારે હું કોઈ કામ કરવામાં નિષ્ફળતા અથવા હારનો સામનો કરું છું તો હું પણ સ્વયંને એટલો નબળો નથી સમજતો.

4. હું પરેશાનીઓને મેનેજ કરવાને બદલે દિમાગને મેનેજ કરું છું. પોઝિટિવ રહું છું.

5. જેટલા જલ્દી હું અઘરી પરિસ્થિતિઓમાંથી બહાર નીકળી શકીશ એટલા જ જલ્દી હું પોતાના લક્ષ્યો હાંસલ કરવા તરફ પગલું ઉપાડીશ.

6. ખોટું પરફેક્શન દેખાડવા કરતા ઉત્તમ છે ભૂલો કરવી. કારણ કે ભૂલો કરતા રહેવાથી જ આગળ વધવાના કેટલાય બોધપાઠ સંતાયેલા હોય છે.

7. પડકારો કોઈ મોટું વિઘ્ન ત્યારે જ બને છે જ્યારે આપણે તેની સામે નતમસ્તક થઈ જઈએ છીએ.


8. હું ક્યારેય ડરને છુપાવવાનો પ્રયાસ નથી કરતો કારણ કે હું જાણું છું કે તે એટલા માટે છે કે મને જાણ થઈ શકે કે હજુ શ્રેષ્ઠ બાકી છે.

9. જો મારી પાસે સમય નહીં હોય તો હું સૌથી પહેલા તે કાર્યોમાંથી પાછળ થઈ જઈશ જેને કરવાનો કોઈ અર્થ જ નથી.

10. હું સ્વયંને ઉત્તમ વ્યક્તિ બનાવવાનો સતત પ્રયાસ કરતો રહીશ. હું માત્ર એવું નહીં વિચારું કે હું સારો છું.

11. જેવું આજ છે એવું ભવિષ્ય નહીં હોય. ભવિષ્ય બિલકુલ અલગ હશે અને મારી પાસે સ્વર્ણીમ ભવિષ્ય બનાવવાની તાકાત છે. એ પણ આજે અત્યારે.

12. ખુશીઓ મારી પાસે ત્યારે જ આવશે જ્યારે તે મારી અંદરથી આવશે. ખુશીઓ માટે ખુશ રહેવું ખૂબ જરૂરી છે.

13. હું પોતાની છબિ અથવા લિગેસી એ વાત પર નથી બનાવી શકતો કે હું એક દિવસ શું બનીશ.

14. જરૂરી નથી કે યોગ્ય દિશામાં ઉપાડેલા પગલા મોટા જ હોય. નાના પગલા ભરવાથી પણ સફળતા મળે છે.

15. નાનકડી સફળતાને પણ સેલિબ્રેટ કરવી જોઈએ, કારણ કે જો આપણે નાની વસ્તુઓને સેલિબ્રેટ કરીશું તો જ મોટી સફળતા મળી શકશે.



Saturday, 27 June 2015

સાહેલી મોરી ભાગ્ય રે મળ્યો અમને સાધુ પુરુષ નો સંગ

સાહેલી મોરી ભાગ્ય રે મળ્યો અમને સાધુ પુરુષ નો સંગ 
અવર પુરુષ નો સંગડો ના કરીએ હરિ 
એ તો પાડી દિયે ભજન માં ભંગ
ભાગ્ય રે મળ્યો અમને સાધુ પુરુષ નો સંગ
નિંદા ના કરનારા નરકે લઇ જાવે હરિ
જઈ ને સજેઁ ભોરીંગ
ભાગ્ય રે મળ્યો અમને સાધુ પુરુષ નો સંગ
સાધુ રે પુરુષ નો સંગડો જો કરીયે હરિ
તો તો ચૌગુના ચઢે અમને રંગ
ભાગ્ય રે મળ્યો અમને સાધુ પુરુષ નો સંગ
મીરા બાઇ ગાવે સંત ચરણ રજ હરિ
એ તો ઉડી ઉડી લાગી મારે અંગ
ભાગ્ય રે મળ્યો અમને સાધુ પુરુષ નો સંગ

Wednesday, 6 May 2015

નાગાજણ જીલરીયો

નાગાજણ જીલરીયો
સંવત 1530માં આહીરોએ લોહી-પાણી એક કરી જેઠવાઓ પાસેથી મોરબી પરગણું જીતી કચ્છના રાજા રાવ ખેંગારજી પહેલાને સોંપ્યું. કચ્છના રાજાએ આહીરોની વફાદારીથી ખૂશ થઈ મોરબી પરગણાનો વહીવટ તેમને સ્વતંત્ર રીતે સોંપ્યો. 
ઇ.સ. 1698માં કચ્છ રાજકુટુંબમાં ખટપટ થતા મજોકાંઠા પંથકના આહીરોના આશરે આવેલા કચ્છના કુંવર કાંયાજીને મોરબીની ગાદીએ બેસાડી આહીરો રાજકાજથી અળગા થયા. 
આજથી બસો વર્ષ પહેલા સૌરાષ્ટ્ર ચારેબાજુથી ચૂંથાઈ રહ્યો હતો, મરાઠાઓની પેશકદમી, જૂનાગઢની જોરતલબી, ભાવનગર અને કાઠીઓના ધિંગાણા, સિમાડા દબાવતા જામનગર-કચ્છના રજવાડા, માળિયાના મિયાણાઓની લૂંટફાટ અને અંગ્રેજ સરકારની વધતી ભીંસથી મોરબી પાયમાલ થતા રાજની તિજોરી તળિયા ઝાટક થઈ ગયેલી. 
રાજના ખર્ચા ભારે પડતા મોરબીના ઠાકોરે ટંકારા પરગણું સુંદરજી શેઠને ત્યાં ગીરવે મૂક્યું. ઠાકોર જિયાજીએ ખજાનાની કંગાળ હાલત જોઈ કારભારીને તાકીદ કરી. રાજની તિજોરી ખાલી જોઈ તે ભરવા કારભારીએ રૈયત ઉપર આકરા વેરા નાંખવાનું શરૂ કર્યું.
કારભારીએ મોરબીની તિજોરી ભરવા આકરા કરવેરાનો આશરો લેતા ખેડૂતો પાસેથી ખેત પેદાશોનો અર્ધોભાગ લેવાના હુકમ કર્યા. 
એ સાથે મોરબી રાજનો ગરાસ ભોગવતા જૂના ખેડૂતોની જમીન ખાલસા કરી તેની ઊંચી કિંમત વસૂલવા કાવાદાવા શરૂ કર્યા. ચાંચાપરમાં પાંચેક સાંતીની જમીનનો ગરાસ ભોગવતા નાગાજણ જીલડીયા ઉપર કારભારી કોઈક કારણસર પૂર્વગ્રહ ધરાવતો. નાગાજણ જીલડીયાના પૂર્વજોની વફાદારી અને મોરબીના રાજા કાંયોજીને સંકટને સમયે મદદ કરતા રાજાએ પ્રસન્ન થઈ તેમને ચાંચાપરમાં પાંચ સાંતી જેટલી જમીન ગરાસમાં આપેલી. 
કારભારી સીધી રીતે નાગાજણના પૂર્વજોને મોરબી ઠાકોર તરફથી મળેલ ગરાસમાં મળેલ જમીન છીનવી શકે તેમ ન હતો, પરંતુ તેને અચાનક બગાસું ખાતા એના મોઢામાં પતાસું આવી ગયું. નાગાજણ જીલડીયાએ કારભારીએ રચેલ કુંડાળામાં પગ મૂકી દેતા પાંચેક સાંતીનો ગરાસ ખાલસા કરવાનું બહાનું કારભારીને મળી ગયું. 
નાગાજણનું બહારવટુ અન્યાય સામે હોય તે નિર્દોષ પ્રજાને રંજાડવામાં માનતો ન હતો, જોકે મોરબી ઠાકોર સામે બહારવટે ચડેલો નાગાજણ રાજના માણસોને ભારે પડી રહ્યો હતો. નાગાજણે રાજના માણસોનો મારગ આંતરી રાજનો ખજાનો લૂંટવાનું શરૂ કરતા મોરબી ઠાકોરની ઉંઘ ઉડાડી દીધી. 
નાગાજણ જીલડીયાનું નામ સાંભળતા સિપાહીઓ પણ ધ્રુજતા. રાજા જિયાજી ફોજ લઈ નાગાજણને પકડવા જાતે વગડો ખૂંદી રહ્યો હતો, પરંતુ તે કેમેય હાથમાં આવતો ન હતો.
નાગાજણના બહારવટાને વર્ષો વીતી ગયા, એકવખત ચોમાસાની મેઘલી રાતે નાગાજણ જીલરીયો પોતાની જાતવાન માણકી ઘોડી લઈ વગડો ખૂંદતો મચ્છુ કાંઠે આવી પહોંચ્યો. અનરાધાર વરસતા વરસાદમાં ચારેબાજુ પાણી ભરાયેલા, એ વખતે ઘેઘુર દરીયાની જેમ ગાંડી થઈ મચ્છુને બેય કાંઠે વહેતી જોઈ નાગાજણના દિલમાં ઘરની યાદ આવી ગઈ. વરસાદી તોફાનમાં પશુ-પક્ષી સાથે મનુષ્ય માત્ર જંપી ગયેલા. 
આવા ધોધમાર વરસતા વરસાદમાં નાગાજણે માણકી ઉપર બેઠા બેઠા નદીના સામા કાંઠા તરફ નજર કરતા મોરબીના રાજમહેલમાં ટમટમતા દિવા જોવા મળ્યા.
રાજમહેલમાં ટમટમતા દીવા જોઈ નાગાજણનું હૈયું વલોવાયું, એ તો મહેલના નવરંગ ઢોલીયા ઉપર મોજ કરે અને પોતે રાજના નિર્દોષ માણસોને રંજાડે એ ઠીક નથી, આજ મોરબી ધણીને જ પૂરો કરી દઉં તો બહારવટાની વાત પૂરી થઈ જાય. આમ વિચારી માણકીને આવળ સાથે બાંધી હિલોળા લેતી મચ્છુ સામે નજર માંડતા પૂરમાં મોટા ઝાડવા તણાતા જોયા. 
પણ નાગાજણ જીલડીયાએ પળનોય વિલંબ કર્યા વગર તલવારને જડબા વચ્ચે દબાવી નદીમાં ઝંપલાવ્યું. હાથીનેય તાણી જાય તેવા હિલોળા લેતા પૂરમાં નાગાજણ ત્રાંસા પડખે તરતો સામે કાંઠે આવેલ રાજમહેલની ઊંચી દીવાલ પાસે પહોંચી ગયો. અને રાજમહેલની દીવાલની ટોચ તરફ નજર કરી. એ સાથે રેશમની દોરી સાથે કોથળીમાં પૂરી રાખેલ ચંદનઘોને બહાર કાઢી તેઓ ઘા કરતા કાંગરે જઈને અટકી. એ સાથે રેશમની દોરીનો ટેકો લઈ તે સડસડાટ દીવાલ ચડી રાજમહેલના ઝરૂખામાં પહોંચી ગયો. રાજમહેલના ઝરૂખામાં પગ મુકતા તેના કાને મોરબીના રાજા-રાણીને વાત કરતા સાંભળ્યા. 
“ઠાકોર, આજે તો મચ્છુએ માઝા મૂકી છે !” 
”હા, રાણી આ પૂરમાં ભારે નુકશાન થવાની સંભાવના છે.” 
”ઠાકોર, આવું પૂર તો મેં મારા જીવનમાં ક્યારેય જોયું નથી, ગામોના ગામ તણાય જાય તેવા આ ભયંકર પૂરમાં જો કોઈ માણસ ફસાઈ જાય તો તેને કોઈ બચાવી શકે ખરૂં ?” 
”હા, રાણી આપણા રાજમાં એવો એક મરદ છે તેને ગમે તેવા પૂર રોકી ન શકે !” 
”શું વાત કરો છો ? એવો કોણ છે એ ?” 
”ચાંચાપરનો નાગાજણ જીલડીયો !” 
”એ તો રાજનો દુશ્મન ?” 
”ના, રાણી દુશ્મન તો આપણે બનાવ્યો છે, બાકી નાગાજણ તો નીતિવાન છે. તેણે આજદિન સુધી કોઈ નિર્દોષને રંજાડ્યા નથી !”
જેનો વધ કરવા નીકળ્યો હતો, તેના મોઢે વખાણ સાંભળ્યા. જિયાજી ઠાકોરને મારી નાંખવા નીકળેલા નાગાજણ જીલડીયાની તલવાર ઉપરની પકડ ઢીલી પડી ગઈ. અસાવધ રાજા પર ઘા કરવાની જગ્યાએ નાગાજણ ઝરૂખામાંથી કૂદકો મારી રાજા સામે જઈ ઊભો રહી ગયો. કાળસ્વરૂપ નાગાજણને ખુલ્લી તલવાર સાથે ઊભેલો જોઈ મોરબીનો ધણી મુંઝાયો.
“નાગાજણ તું ?” 
”હા, ઠાકોર આજે બહારવટું પૂરું કરવાના ઈરાદાથી આવ્યો ‘તો, પણ તમારા મોઢે મારી વાત સાંભળી ચોરની જેમ મારતા જીવ ન ચાલ્યો !”
“વાહ નાગાજણ તારી વાતો સાંભળી ‘તી; પણ આજ તારી મર્દાનગી જોઈ આનંદ થયો !” 
”ઠાકોર ઈ’ બધી વાતો મૂકો; હવે મર્દને શોભે તેમ ફરી મળવા આવીશ !” નાગાજણે દ્રઢતાથી કહી ઝરૂખા તરફ પાછા ફરવા પગ ઉપાડ્યો. 
”નાગાજણ, તારી જમીન સાથે ચાંચાપર ગામ આપું તો બહારવટુ મૂક્ય ખરો ?” 
”ઠાકોર, બહારવટાનો મને શોખ નથી, આ તો અન્યાય સામે નાછૂટકે હથિયાર ઉપાડવા પડ્યા !”
“નાગાજણ તો કાલે ભર્યા દરબારમાં તાંબાના પતરે તારી જમીન સાથે ચાંચાપર લખી આપીશ !” નાગાજણનું બાવડું ઝાલી જિયાજીએ કહ્યું. 
“ઠાકોર, મારે હક્કની જમીન લેવી છે, મને ગામધણી થવાના ઓરતા નથી !” 
”નાગાજણ, તને તારી જમીન પાછી આપી મને નાનો ન બનાવ ! મારે તો ચાંચાપર આપી મારી ભૂલ સુધારવી છે !” 
”ઠાકોર, હક્ક સિવાયનું મારા માટે ગાયની માટી બરાબર છે ! લો ત્યારે જય મુરલીધર !!!”
“ભાઈ નાગાજણ, ચાલ મહેલના દરવાજા સુધી તને મૂકી જાવ !” 
”ઠાકોર, આજે તો હું મચ્છુમાનો ખોળો ખૂંદતો આવ્યો છું, એટલે પાછો પણ એ રસ્તેથી જ જઈશ !” 
”ભલે જેવી તારી મરજી, જય મુરલીધર !” 
”જય મુરલીધર...”
નાગાજણે મુરલીધરની જય બોલાવતા રાણીને હાથ જોડી નમસ્કાર કરતા રાજમહેલના ઝરૂખામાંથી ઘુઘવાટા મારતી મચ્છુ નદીમાં ઝંપલાવ્યું. મોરબીના રાજા-રાણી વિશાળ કાયા ઘરાવતા હાથીને તલખલાની જેમ તાણી જાય તેવા હિલોળા લેતા પૂરમાં નાગાજણને નવાઈ ભરી નજરે તરતો જોઈ રહ્યા.
બીજા દિવસે મોરબીના રાજદરબારમાં ઠાકોર જિયાજીના ભાઈ દેવાજી સહિત મોરબીના ભાયાતો મિતાણા, મોડપર, દેરાલા વગેરે ગામોથી આવી પહોંચ્યા. એ સાથે નગરશેઠ, મહાજન, અમલદારો, પંડિત-પુરોહિતો, કવિઓ સાથે દરબાર હકડેઠઠ્ઠ ભરાઈ ગયો. સૌના મનમાં એક જ સવાલ ઘોળાતો કે નાગાજણ આવશે કે કેમ ? અને એ સાથે સૌની આતુરતાનો અંત આવતો હોય તેમ મરદ મુછાળો, પાંચ હાથ પૂરો, સિંહ જેવી છાતીવાળો કમરે લટકતી તલવાર અને ખંભે શોભતા ભાલા સાથે નાગાજણે પોતાના પાંચ સાથીઓ સાથે મોરબી દરબારમાં પગ મૂક્યો. 
મોરબીનો કારભારી ડંખીલો હતો, તેને નાગાજણે પ્રત્યે દ્વેષ હતો. 
કારભારીએ નાગાજણને દરબારમાં દાખલ થતો જોઈ મનના ભાવ દબાવી મોઢા ઉપર કપટયુક્ત હાસ્ય સાથે તેને આવકાર્યો. નાગાજણે મોરબી ઠાકોરનો આદર કરી બેઠક લેતા જિયાજીએ કારભારીને ઈશારો કર્યો. કારભારીના દીલમાં નાગાજણ માટે નફરત હતી, પરંતુ રાજાનો આદેશ થતા તાંબાના પતરામાં લખેલો લેખ દરબારમાં વાંચી સંભળાવ્યો. અને બીજીબાજુ કારભારીથી નાગાજણને મળેલું માન ન જીરવાતા બાજુમાં બેઠેલા કવિના કાનમાં કહ્યું, “કવિ, આ નાગાજણની બાજી ઊંધી વાળી નાંખે તેવું કંઈ થઈ શકે ખરૂં ?” 
”કારભારી, એક પળમાં આખો મામલો બદલી નાંખુ, પણ મારું શું ?”
“કવિરાજ, પાંચસો રૂપિયા રોકડા અને એક જોડ મોંઘામૂલના લૂગડા... બસ નાગાજણને નવડાવી નાંખો !” 
”ઓહો તો તો હમણા બાજી પલટી નાંખું !” આમ કહેતા કવિ નાગાજણના ગુણગાન ગાવા લાગ્યો.

ચાંચાપરનો ચાસ જીલડીયાનો જાય નહીં; 
રાજવી માથે રમી રાસ રંગ રાખ્યો નાગડા. 
ખાંડાની ખતપતરી કરી, મરડી ખાતો માલ; 
સીમાડાનું એ તો સાલ, નર જોયો ઈ નાગડો. 
ધન્ય છે નાગાજણ તારી જનેતાને કે તારા જેવા દિકરાને જન્મ આપ્યો ! કોઈમાં તારી જમીન છીનવી લેવાની તાકાત નથી, અરે, ભડવીર તેં તો રાજ માથે રાસડા લઈ રંગ રાખ્યો, અરે તેં તો તલવારની અણીએ તારા હક્ક લખાવી લીધા... કવિની વાત સાંભળી રાજ દરબારમાં છન્નાટો છવાઈ ગયો. એ જોઈ મોરબી ધણીનો ચહેરો તંગ થતા કવિને તિરસ્કારથી કહ્યું.
“કવિ, મર્યાદા રાખી બોલો તો સારું !”
કવિ તો દેખે એવું કે’, નહિ ફરક તલફેર; 
નાગડ છે ગર મેર, સાચો ના સગમલ રાઉત. 
”ઠાકોર, માફ કરજો, કવિ તો જેવું જોવે એવું કહે જો આમાં મેં કંઈ ખોટું કીધું હોય તો કહો !” 
”કવિ, મોરબી માથે કુળદેવી મોમાઈ રૂઠી નથી કે બીકના માર્યા ગરાસ પાછો આપ્યો નથી. આ તો અમન જળવાય એવી ભાવનાથી રાજ મોટું મન રાખે છે !” એમ કહેતા જિયાજીએ મોઢું ફેરવી લીધું. એ જોઈ નાગાજણ જીલડીયાએ ઊભા થતા કહ્યું. 
“ઠાકોર, હું કાંઈ ભામણ-ભવાયો નથી કે દયાની ભીખમાં ઇનામ લઉં, નાગાજણ નમાલો નથી. અરે, અમે તો બાવડાના બળે બહારવટું ખેડ્યું છે !” 
નાગાજણની વાત સાંભળી મોરબી ઠાકોરે સિંહાસન ઉપરથી ઊભા થતા કહ્યું, ”નાગાજણ, બે-બે તલવારો બાંધજે, અને બંદૂકોના ભડાકા કરી મોરબીના ગઢને ઊખાડીને મચ્છુમાં પધરાવી દેજે !” ”ઠાકોર, આ જ કરવું ‘તું તો બોલાવવો નો’તો !” નાગાજણે રાજ દરબારમાંથી ઊભા થતા તાંબાના પતરાનો કારભારી સામે ઘા કર્યો. અને પોતાના સાથીઓને ઇશારો કરી ખુલ્લી તલવાર સાથે પાછા પગલે ચાલતા દરબારમાંથી વીજળી વેગે બહાર નીકળી ઘોડી ઉપર રાંગ વાળી. કારભારીએ એ જોઈ નાગાજણને જીવતો કે મરેલો પકડી લેવા સૈનિકોને હુકમ કરતા નગારે દાંડીનો ઘા થતા સેના નાગાજણ પાછળ પડી. 
નાગાજણે મોરબી કિલ્લા બહાર નીકળી વાવડી ગામ નજીક પહોંચતા સાથીઓને પોતપોતાના ઘેર જવા સમજાવ્યા, પરંતુ તેઓ ન માનતા કુળદેવી મોમાઈમાના સોગંદ આપી તેમને વિદાય કરી એકલા હાથે જંગ લડી લેવાની તૈયારી કરી. 
થોડીવારમાં જ સેના આવી પહોંચતા નાગાજણ ચારેબાજુથી ઘેરાયો, નાગાજણે બેય હાથમાં તલવાર લઈ મોરબીસેના ઉપર ત્રાટકતા આંખના પલકારામાં અનેક સૈનિકોને મોતને ઘાટ ઉતારી દીધા. પણ મોરબીથી છૂટેલ વિશાળ કટક કેમેય કરી એકલા હાથે ખૂટે તેમ ન હતું. એકલો ઝઝુમી રહેલ નાગાજણ સેંકડો સૈનિકોને ભારે પડી રહ્યો હતો. સૈનિકોની લાશોના ઢગલા વચ્ચે શરીર ઉપર અનેક જીવલેણ ઘા ઝીલતા નાગાજણને દગાથી મારવા સેનાપતિએ ઈશારો કર્યો. 
સેનાપતિનો ઇશારો થતા એક સિપાહીએ લોહીથી નીતરતા નાગાજણની પીઠમાં ભાલાનો ઘા કર્યો, અને પીઠમાં ભાલાનો ઘા વાગતા નાગાજણ દગાથી મરાયો. નાગાજણ જીલડીયાની વીરતાની સાક્ષી પૂરતું સમાધિ મંદિર તેના સ્વમાન અને શોર્યની યશગાથા ગાતા જોવા મળે છે. ઠાકોર જિયાજીના શાસનકાળ ઇ.સ. 1790થી 1828 દરમિયાન થઈ ગયેલો નાગાજણ જીલડીયો મોરબીના ઇતિહાસમાં અમર સ્થાન ધરાવે છે.

Monday, 20 April 2015

પૉતાના પ્રીયપાત્રના પ્રારબ્ધનૅ પણ બદલી શકૅ તૅ નારી.

લગભગ હું ત્યારૅ સૉળ સત્તર વરસનૉ...
સરકારી વસાહત માં રહૅતૉ...
ઍક ત્રીસૅક વરસના ભાઇ મહિકૅનાલ ખાતામાં સર્વીસ કરૅ.. મારૅ ઍમનૉ કૉઇ પરીચય નહી.
તૅઑ સરકારી ક્વાર્ટર્સ માં ફૅમીલી સાંથૅ રહૅ, 
સરસ દૅખાવડી પત્ની, અનૅ ઍથી પણ સુંદર બૅ નાની બાળકી, કિલ્લૉલ્ કરતું કુટુંબ, સાંજૅ ફરતાં ઘણીવાર જૉઉં....
ઍક દીવસ આ કુટુંબ પર આભફાટ્યું, મહિકૅનાલ ની જીપનૅ ઍક્શીડંડ થયૉ, તૅ જીપમાં પૅલા ભાઇ ગંભીર રીતૅ ઘાયલ, શરીરનૉ ભુકૉ બૉલી ગયૅલૉ... ટૉટલ અઢાર ફૅક્ચર... બચવાના ચાન્સ નહીવત, પાંચ મહીના દવાખાનૅ રહ્યા... બચ્યા.. ઘરૅ આવ્યા, પણ અપાહીજ...
ખબરનહી ઍમના કૉઇ સગાં આવૅલ નહી, અથવા કૉઇ ન પણ હૉય..
હવૅ ઍમની પૅલી સુંદર દૅખાવડી નાજુક પત્નિઍ મક્કમ મનથી સંસારની વાસ્તવીકતાનૉ સામનૉ કરી આ વિટંબણાં નૉ હિમાલય માથૅ ઉચક્યૉ...
રિતસર જંગ છૅડી આ બાઇઍ કુદરત સામૅ પતીનૅ ઉભૉ કરવાની, બૅ બાળકી અનૅ પતી, બાવરી બની જાત ભુલી... બસ સતત પતીમાંજ રચીપચી રહૅ.... પતીનું ટૉઇલૅટ બાથરુમ, માલીસ દવા, દવાખાનું , બૅ બાળકી, પૉતાના દૅખાવ કપડાં વાળ નું કૉઇ ઠૅકાણું નહી.. પણ સુતૅલા પતીનૅ દરરૉજ દાઢી કરી નવડાવી સ્વછ ઇસ્ત્રી વાળાં કપડાં પહૅરાવૅ.... ઍ બાઇના પરીસ્રમ થી તૅમના પતી ઘૉડીના સહારૅ ચાલતા થયા, માનશીક રીતૅ પડીભાંગૅલા ઍ વ્યક્તીમાં જીવવાની ઍક ઇછા જાગ્રુત કરી આ બાઇઍ...
દરરૉજ સાંજૅ ઘૉડીના સહારૅ ફૅરવૅ, બૅ ત્રણ મહીના પછી ઘૉડી રહૅવા દઈ પૉતાના સહારૅ ફૅવરૅ પતીનૅ... બાદમાં સાયકલ શીખવી પાછ્ળ દૉડી દૉડી નૅ.. ભાઇ જાતૅ હરતા ફરતા થયા....
જૉરથી ઍક બુમ પાડીયૅ તૉ આ નાજુક હરણી જૅવી બાઈ ધ્રુજવા માંડૅ તૅવી.. પણ કુટુંબ અનૅ પતી પર આવૅલી આપત્તીમાં ઍક સીંહણ જૅવી શ્ક્તી ક્યાંથી આવી તૅ આજૅ પણ મારા માટૅ કૉયડૉ છૅ... દિવસ, રાત, તારીખ, તહૅવાર જાણૅ ઍના આ ઍક વરસના જીવનમાં આવ્યાં કૅ બદલાયાંજ નહી, ઍણૅ સમય નૅ પણ ઍવૉ બાંધ્યૉ કૅ ઍ વર્સ જાણૅ ઍના જીવનમાં હતુંજ નહી... 
નારી.... સળગતી ઍક દિવાસળી થી પીઘળી નૅ રૅલૉ બની રૅલાતી... નારી જરુર પડૅ સુરજનૅ પણ બાથ ભીડી નૅ ઢરીજાતી...ઍક તરણાં ના ભારમાં ઝુકીજતી ... નારી ... હિમાલયનૅ ખભૅ ઉચકીનૅ ફરતી.... વાળ જૅવી નાજુક નવી કુપર પર ઝાકળ જૅવા દરીયાનૅ ઝીલતી.... 
પુરુશ ફાટીપડૅ... વૅરાય...વિખૅરાય....પહાડ જૅવૉ મરદ ઝુકીજાય... હારીજાય... ત્યાંથી ઝઝુમવાની શરુઆત કરતી નારી...સદા રુદન કરતી.. પણ ... જ્યારૅ વીપરીત સંજૉગૉ હૉય ત્યારૅ આંસુનૅ પણ રુદન કરાવૅ તૅ નારી...... 
ખરૅખર પુરુશ જ પૉતાના પ્રારબ્ધ નૅ બદલી શકૅ છૅ, નારી નહી.....
પણ પૉતાના પ્રીયપાત્રના પ્રારબ્ધનૅ પણ બદલી શકૅ તૅ નારી.

Vakola dandiya rass part 1


Vakola dandiya rass part 2


Vakola dandiya rass part 3


Vakola dandiya rass part 4


Saturday, 18 April 2015

Dandiya rass Dinesh marriede garba rass 2014 part 4


भले आप झहरीले ना हो मगर काटने का रुतबा क़ायम रखना चाहीये

आचार्य तुलसी

एक भयंकर काला नाग था। वह देखने में जितना हिंसक लगता था, उससे भी अधिक खतरनाक था। वह जहां रहता था, उस स्थान के आस-पास जाने की हिम्मत किसी में नहीं थी। एक बार उसका किसी संन्यासी से संपर्क हो गया। संन्यासी ने उसको अहिंसा का उपदेश दिया। उपदेश से नागराज की मानसिकता बदल गई। उसने अहिंसा वृत्ति स्वीकार कर ली। उसके बाद उसने काटना छोड़ दिया, फुफकारना छोड़ दिया और अधिक घूमना-फिरना भी बंद कर दिया।

एक दिन कुछ बच्चों ने देखा- नागराज सोया पड़ा है। उन्होंने कुछ ढेले उठाकर फेंके, पर वह हिला तक नहीं। यह बात पूरे गांव में फैल गई। कुछ और लोग वहां आ गए। लकड़ी और ढेलों से नागराज की अच्छी मरम्मत होने लगी। कुछ दिन बाद वही संन्यासी घूमता-फिरता वहां आ पहुंचा। नागराज संन्यासी को पहचानकर बोला- 'आपकी अहिंसा ने मुझे मार दिया। इधर के लोग इतना सताते हैं कि मेरा जीना दूभर हो गया है। पहले यही मेरे सामने भी नहीं आ पाते थे। क्या मैं इन सबको सहन करता रहूं?'

संन्यासी ने एक क्षण मुस्कराकर पूछा- 'तुम किसी को काटते तो नहीं हो?' नागराज के मना करने पर संन्यासी ने फिर पूछा- 'क्या तुम फुफकारते भी नहीं हो?' नागराज ने इस बार भी नकारात्मक उत्तर दिया। संन्यासी बोला- 'देखो भाई! तुम संन्यासी नहीं हो, तुम्हारी अपनी सीमाएं हैं। तुमने अहिंसा का व्रत लिया है, पर इसका अर्थ यह तो नहीं है कि तुम अपने जीवन की सुरक्षा ही न करो।' इसके बाद नागराज ने फिर से फुफकारना शुरू कर दिया। एक ही दिन में लोग उससे भय खाने लगे।

ठीक इसी तरह, महिलाएं भी जब तक अपनी शक्ति का प्रदर्शन नहीं करेंगी, उसे काम में नहीं लेंगी, समाज उनका मूल्यांकन नहीं करेगा। भलमनसाहत बहुत अच्छी बात है, पर इसमें भी जब अति हो जाती है, तो वह दुर्बलता की प्रतीक बन जाती है। इसलिए महिला समाज का शक्ति-जागरण और उसके उपयोग में सचेत होना जरूरी है।

तीन बातें घर की शोभा हैं- लक्ष्मी, शिक्षा और शासन। सौभाग्य से ये तीनों ही रूप नारी के हैं। लक्ष्मी, सरस्वती और दुर्गा को संसार पूजता है। इसलिए केवल लक्ष्मी और सरस्वती बनने से महिलाओं का काम नहीं चलेगा। उन्हें दुर्गा भी बनना पड़ेगा। दुर्गा बनने का मतलब हिंसा या आतंक फैलाने से नहीं, शक्ति को संजोकर रखने से है। हर युग, हर देश और हर जाति की महिला में ये तीनों गुण स्वाभाविक हैं। लक्ष्मी उदारता का प्रतीक है, सरस्वती सृजनशीलता की और दुर्गा शक्ति की प्रतीक है।

बहनों ने अपने लक्ष्मी-सरस्वती के रूप को सुरक्षित रखा है पर दुर्गा रूप को विस्मृत कर दिया है। पूजा व्यक्ति की नहीं, शक्ति की होती है। यदि महिलाओं को अपनी स्वतंत्र अस्मिता स्थापित करनी है तो उन्हें अपनी शक्ति को समझना होगा।

Friday, 17 April 2015

gami parivar dandiya rass 2011 part 1

gami parivar dandiya rass 2011 part 3

gami parivar dandiya rass 2011 part 4

bharat marride garba rass vijpasar 2013 part 1

bharat marride garba rass vijpasar 2013 part 2

bharat marride Garba rass vijpasar 2013 part 3

bharat marride Garba rass vijpasar 2013 part 5

bharat married garba rass vijpasar 2013 part 4

Ame kaka bapa na poyra patel kahevaiye by ghanshyam zulla

Navratri Garba Rass

Radha tera Kana hamne gokul me dekha

dinesh marriede garba rass 2014 by Ghanshyam Zulla part 1 of 5

dinesh marriede garba rass 2014 part 5 of 5

ghanshyam zulla dinesh marriede garba rass 2014 part 1 of 1

ghanshyam zulla dinesh marriede garba rass 2014 part 1 of 2

ghanshyam zulla dinesh marriede garba rass 2014 part 2 of 1

ghanshyam zulla dinesh marriede garba rass 2014 part 2 of 2

Garba -

Dandiya Rass Ravariya parivar Sati Maa Part - 4

Dandiya Rass Ravariya parivar Sati Maa Part - 3

Dandiya Rass Ravariya Parivar Sati Maa part - 2

GHANSHYAM ZULLA dinesh marriede garba rass 2014 part 5 of 3

dandiya rass ravariya sati Maa 9

dandiya rass ravariya sati Maa 9

dandiya rass ravariya sati Maa 8

dandiya rass ravariya sati Maa 11

dandiya rass ravariya sati Maa 7

Dandiya Rass Ravariya Parivar Sati Maa part 13

Monday, 13 April 2015

એક પીતાની 'મનો વ્યથા

એક પીતાની 'મનો વ્યથા'

હા, બેટા મને ખબર છે. .,
તું તારા જીવન નાં
એ રસ્તા ઉપર,
'પાપા-પગલી' માંડી છે, 
જે હર એક ગલીઓ માંથી
હું નીકળી ચુક્યો છું. 
બચપનમાં આંગડી પકડી
ચલાવ તો,
અત્યારે કરૂં તો તને ગમશે..?
તું બરાબર ચાલે છે, 
ભગવાન નાં કરે ને
કદાચ ઠોકર વાગી જાય તો,
મારો દિકરો ગભરાય..?
ના બને કદી, કેમ કે;
તને ને મને ખબર છે કે,
સૌથી પહેલાં હું દોડીશ.
મને ખબર છે, 
તારા લગ્ન થઈ ચુક્યા છે.
તારા માટે ઘણી બધી છોકરી,
માંથી અમે જ શોધી ને. .?
કંઇક સામાજીક તપાસ કરી,
કંઇક કેટલાં પાસે કુંડલી બતાવી.
કોઇ ખરાબ નથી, કોઇનો વાંક નથી, 
આ ઉમર ને સંજોગો, 
ને આધિન છે. ..! 
મને ખબર છે, 
હવે કોઇ તને, 
'તું' કારે બોલાવે અને,
પત્ની ની હાજરી માં, 
તો તને ના ગમે. ...!
અને વળી હવે તો,
તને બીજા "મમ્મી-પપ્પા"
પણ મળ્યા ને. .?
ને મળ્યું નવું નામ..,
"કુમાર"
વાહ, કેવું અદભુત...!
કેવું સરસ માનવાચક પણ. ..!
અમારા માટે તો,
તું જનમ્યો ત્યાર થી,
ને હંમેશા "રાજકુમાર" જ છે. 
પરંતુ, કહ્યું નહીં ક્યારેય, 
આવશ્યક નાં લાગ્યું. ..!
તું અમારી ચીંતા કે,
તરફેણ ના કરીશ, 
અમારા ખાતર તારા,
મીઠા સંસાર માં ભુલ થી યે,
કડવાશ નાં લાવીશ...કેમ કે, 
મને ખબર છે. .,
તારા મનમાં પાપ નથી,
તારી મજબુરી છે કે, 
બન્ને સાઈડ બેલેન્સ કરવું. ..!
નવા 'પપ્પા - મમ્મી' ઉપર
તારૂં ધ્યાન પણ હટે ને. .?
તો તારી 'વીસ નહોરી' રૂઠે...!
એનુ ધ્યાન રાખ,
પારકી 'જણી' ને આપણે, 
ઘરમાં લાવ્યા છીયે ને. .?
તારા ભરોસે આવી છે તે.
અને તને ખબર છે,
મને કે તારી માઁ ને, 
તારૂં ખરાબ નાં લાગે, કદી.
બીજું તો શું. ..? હા,
બની શકે તો એટલું જો જે,
માત્ર એને સારૂં લગાડવાં,
અમારૂં 'અપમાન' ના થાય...!
બને તો જ હોં...?
બે માંથી એક 'સીલેકટ' 
કરવું પડે તો,
તું અપમાન પસંદ કરજે. 
અમને ખબર છે, 
તારૂં મન સાફ છે. 
અમે જેટલાં લાડકોડ થી,
ઉછેર્યો,ભણાવ્યો,ગણાવ્યો ને, 
પરણાવ્યો વગેરે. .,
નો કદાપી ભારનાં રાખીશ,
એ અમારી ફરજ નો ભાગ છે. 
અને અમે જેટલાં વર્ષ જીવ્યા,
હવે એટલાં વર્ષ જીવશું શું. .?
તારી સામે આખી 
જીંદગી પડી છે, બેટા...!
સુકા ઝાળ-પાન ખાતર
'લીલો છંમ' બગીચો ના બગાડાય...!
તું બરબર સમજી વિચારી
ચાલ જે ને સંસાર ચલાવ જે.
આપણા ઘર કુટુંબ ની
આબરૂં ઉજાળજે.
અમારી ચીંતા ના કરીશ.
ક્યાંય પણ મુંજાઈશ કે, 
અટવાય તો સંકોચ ના રાખીશ,
મોટો થઈ ગયા નો અહંકાર પણ,
દોડી ને આવજે.
તારા બાળકો ને સંસાર સંભાળ જે.
છતાં પછી ને પણ,
જો સમય મળી રહે તો,
કયારેક પુછી લે જે,
"કેમ છો".....???
અમારી ચીંતા ના કરીશ.
કેમ કે 'મને ખબર છે'....!!!

- દિનેશ ગોહિલ ... 

Sunday, 12 April 2015

बड़े दीलवाले है मेरे पीताजी

बडे दीलवाले है मेरे पीताजी

बड़े गुस्से से मैं घर से चला आया ..

इतना गुस्सा था की गलती से पापा के ही जूते पहन के निकल गया 
मैं आज बस घर छोड़ दूंगा, और तभी लौटूंगा जब बहुत बड़ा आदमी बन जाऊंगा ...

जब मोटर साइकिल नहीं दिलवा सकते थे, तो क्यूँ इंजीनियर बनाने के सपने देखतें है .....
आज मैं पापा का पर्स भी उठा लाया था .... जिसे किसी को हाथ तक न लगाने देते थे ...

मुझे पता है इस पर्स मैं जरुर पैसो के हिसाब की डायरी होगी ....
पता तो चले कितना माल छुपाया है .....
माँ से भी ...

इसीलिए हाथ नहीं लगाने देते किसी को..

जैसे ही मैं कच्चे रास्ते से सड़क पर आया, मुझे लगा जूतों में कुछ चुभ रहा है ....
मैंने जूता निकाल कर देखा .....
मेरी एडी से थोडा सा खून रिस आया था ...
जूते की कोई कील निकली हुयी थी, दर्द तो हुआ पर गुस्सा बहुत था ..

और मुझे जाना ही था घर छोड़कर ...

जैसे ही कुछ दूर चला ....
मुझे पांवो में गिला गिला लगा, सड़क पर पानी बिखरा पड़ा था ....
पाँव उठा के देखा तो जूते का तला टुटा था .....

जैसे तेसे लंगडाकर बस स्टॉप पहुंचा, पता चला एक घंटे तक कोई बस नहीं थी .....

मैंने सोचा क्यों न पर्स की तलाशी ली जाये ....

मैंने पर्स खोला, एक पर्ची दिखाई दी, लिखा था..
लैपटॉप के लिए 40 हजार उधार लिए
पर लैपटॉप तो घर मैं मेरे पास है ?

दूसरा एक मुड़ा हुआ पन्ना देखा, उसमे उनके ऑफिस की किसी हॉबी डे का लिखा था 
उन्होंने हॉबी लिखी अच्छे जूते पहनना ......
ओह....अच्छे जुते पहनना ???
पर उनके जुते तो ...........!!!!

माँ पिछले चार महीने से हर पहली को कहती है नए जुते ले लो ...
और वे हर बार कहते "अभी तो 6 महीने जूते और चलेंगे .."
मैं अब समझा कितने चलेंगे

......तीसरी पर्ची ..........
पुराना स्कूटर दीजिये एक्सचेंज में नयी मोटर साइकिल ले जाइये ...
पढ़ते ही दिमाग घूम गया.....
पापा का स्कूटर .............
ओह्ह्ह्ह

मैं घर की और भागा........
अब पांवो में वो कील नही चुभ रही थी ....

मैं घर पहुंचा .....
न पापा थे न स्कूटर ..............
ओह्ह्ह नही
मैं समझ गया कहाँ गए ....

मैं दौड़ा .....
और
एजेंसी पर पहुंचा......
पापा वहीँ थे ...............

मैंने उनको गले से लगा लिया, और आंसुओ से उनका कन्धा भिगो दिया ..

.....नहीं...पापा नहीं........ मुझे नहीं चाहिए मोटर साइकिल...

बस आप नए जुते ले लो और मुझे अब बज़ज़
"माँ" एक ऐसी बैंक है जहाँ आप हर भावना और दुख जमा कर सकते है...

और

"पापा" एक ऐसा क्रेडिट कार्ड है जिनके पास बैलेंस न होते हुए भी हमारे सपने पूरे करने की कोशिश करते है..
 ....I Love You Papa💕....

Saturday, 4 April 2015

आवश्यकता वह दृष्टि विकसित करने की है, जो भावना और व्यापार में फर्क कर सके....

एक समय की बात है। एक शहर में एक धनी आदमी रहता था। उसकी लंबी-चौड़ी खेती-बाड़ी थी और वह कई तरह के व्यापार करता था। बड़े विशाल क्षेत्र में उसके बगीचे फैले हुए थे, जहां पर भांति-भांति के फल लगते थे। उसके कई बगीचों में अनार के पेड़ बहुतायत में थे, जो दक्ष मालियों की देख-रेख में दिन दूनी और रात चौगुनी गति से फल-फूल रहे थे। उस व्यक्ति के पास अपार संपदा थी, किंतु उसका हृदय संकुचित न होकर अति विशाल था। शिशिर ऋतु आते ही वह अनारों को चांदी के थालों में सजाकर अपने द्वार पर रख दिया करता था। उन थालों पर लिखा होता था ‘आप कम से कम एक तो ले ही लें। मैं आपका स्वागत करता हूं।’ लोग इधर-उधर से देखते हुए निकलते, किंतु कोई भी व्यक्ति फल को हाथ तक नहीं लगाता था। तब उस आदमी ने गंभीरतापूर्वक इस पर विचार किया और किसी निष्कर्ष पर पहुंचा। अगली शिशिर ऋतु में उसने अपने घर के द्वार पर उन चांदी के थालों में एक भी अनार नहीं रखा, बल्कि उन थालों पर उसने बड़े-बड़े अक्षरों में लिखा ‘हमारे पास अन्य सभी स्थानों से कहीं अच्छे अनार मिलेंगे, किंतु उनका मूल्य भी दूसरे के अनारों की अपेक्षा अधिक लगेगा।’और तब उसने पाया कि न केवल पास-पड़ोस के, बल्कि दूरस्थ स्थानों के नागरिक भी उन्हें खरीदने के लिए टूट पड़े। कथा का संकेत यह है कि भावना से दी जाने वाली अच्छी वस्तुओं को हेय दृष्टि से देखने की मानसिकता गलत है। सभी सस्ती या नि:शुल्क वस्तुएं या सेवाएं निकृष्ट नहीं होतीं। वस्तुत: आवश्यकता वह दृष्टि विकसित करने की है, जो भावना और व्यापार में फर्क कर सके और वस्तुओं की गुणवत्ता का ठीक-ठाक निर्धारण कर सके।

समजदारी के बीना ग्रहण कीया हुआ ज्ञान की कोई कीमत नही है.!!!

समजदारी के बीना ग्रहण कीया हुआ ज्ञान की कोई कीमत नही है.!!!
एक सन्त के आश्रम में एक शिष्य कहीं से एक तोता ले आया और उसे पिंजरे में रख लिया। सन्त ने कई बार शिष्य से कहा कि “इसे यों कैद न करो। परतन्त्रता संसार का सबसे बड़ा अभिशाप है।” किन्तु शिष्य अपने बालसुलभ कौतूहल को न रोक सका और उसे अर्थात् पिंजरे में बन्द किये रहा। तब सन्त ने सोचा कि “तोता को ही स्वतंत्र होने का पाठ पढ़ाना चाहिए” उन्होंने पिंजरा अपनी कुटी में मँगवा लिया और तोते को नित्य ही सिखाने लगे- ‘पिंजरा छोड़ दो, उड़ जाओ।’ कुछ दिन में तोते को वाक्य भली भाँति रट गया। तब एक दिन सफाई करते समय भूल से पिंजरा खुला रह गया। सन्त कुटी में आये तो देखा कि तोता बाहर निकल आया है और बड़े आराम से घूम रहा है साथ ही ऊँचे स्वर में कह भी रहा है- “पिंजरा छोड़ दो, उड़ जाओ।” सन्त को आता देख वह पुनः पिंजरे के अन्दर चला गया और अपना पाठ बड़े जोर-जोर से दुहराने लगा। सन्त को यह देखकर बहुत ही आश्चर्य हुआ। साथ ही दुःख भी। वे सोचते रहे “इसने केवल शब्द को ही याद किया! यदि यह इसका अर्थ भी जानता होता- तो यह इस समय इस पिंजरे से स्वतंत्र हो गया होता!

Wednesday, 1 April 2015

બહેન નો ભાઈ પ્રત્યેનો પ્રેમ

બહેન નો ભાઈ પ્રત્યેનો પ્રેમ 

ઉનાળાની બળબળતી બપોરે એક
ઠંડાપીણાવાળાની દુકાન પર ભીડ
જામી હતી. તાપથી રાહત
મેળવવા બધા પોતાના મનપસંદ
ઠંડા પીણાની મોજ માણી રહ્યા હતા. એક
ફાટેલા તુટેલા કપડા પહેરેલી અને
વિખરાયેલા વાળ વાળી છોકરી જાત
જાતના પીણા પી રહેલા આ લોકોને
ટીકી ટીકીને જોયા કરતી હતી.

એકભાઇનું આ છોકરી પર ધ્યાન પડ્યુ. એ દુર
ઉભી હતી એટલે પેલા ભાઇએ એને નજીક
બોલાવી પણ
છોકરી ત્યાં આવવામાં સંકોચ
અનુભવતી હતી. કદાચ એના ગંદા અને
ફાટેલા કપડા એને ત્યાં ઉભેલા સજ્જન
માણસો પાસે જતા અટકાવતા હશે આમ
છતા થોડી હિંમત કરીને એ નજીક આવી.
પેલા ભાઇએ પુછ્યુ, " તારે લસ્સી પીવી છે ?
" છોકરી 'હા' બોલી એ સાથે મોઢુ પણ
ભીનુ ભીનુ થઇ ગયુ. છોકરી માટે ડ્રાયફ્રુટ
સ્પેશિયલ લસ્સીનો ઓર્ડર
આપવામાં આવ્યો. લસ્સીનો ગ્લાસ
છોકરીના હાથમાં આવ્યો અને એ
તો આંખો ફાડીને ગ્લાસમાં લસ્સીની ઉપર
રહેલા કાજુબદામને જોઇ રહી. એણે
પેલા ભાઇ સાથે આભારવશ નજરે વાત
કરતા કહ્યુ, " શેઠ, જીંદગીમાં કોઇ દી આવુ
પીધુ નથી. સુગંધ પણ કેવી જોરદાર આવે છે."
આટલુ બોલીને એણે લસ્સીનો ગ્લાસ
પોતાના મોઢા તરફ આગળ કર્યો. હજુ
તો ગ્લાસ હોંઠને સ્પર્શે એ પહેલા એણે
પાછો લઇ લીધો.

ગ્લાસ દુકાનવાળા ભાઇને પાછો આપીને
એ છોકરી બોલી, " ભાઇ, મને આ લસ્સી પેક
કરી દોને. ગમે તે
કોથળીમાં ભરી દેશો તો પણ ચાલશે."
દુકાનવાળા ભાઇને છોકરી પર
થોડો ગુસ્સો આવ્યો. છોકરીને તતડાવીને
કહ્યુ, " છાનીમાની ઉભી ઉભી પી લે
અહીંયા. લસ્સીનું પેકીંગ કરાવીને તારે શું
કરવુ છે? "
છોકરીએ ભરાયેલા અવાજે દુકાનવાળાને
કહ્યુ, " ભાઇ, તમારી લસ્સી કેવી સરસ છે. ઘરે
મારે નાનો ભાઇ છે એને
આવી લસ્સી કેદી પીવા મળશે ?
મારા ભઇલા માટે લઇ જવી છે મને પેકીંગ
કરી આપોને ભાઇ ! "
છોકરીના આટલા શબ્દોએ
ત્યાં ઉભેલા દરેક
પુરુષની આંખના ખુણા ભીના કરી દીધા કારણકે
બધાને પોતાની બહેન યાદ આવી ગઇ.
મિત્રો, પોતાના ભાગનું કે
પોતાના નસિબનું જે કંઇ હોઇ એ એક બહેન
પોતાના ભાઇ માટે કુરબાન કરી દે છે
આવી પ્રેમના સાક્ષાત સ્વરૂપ સમી બહેનનું
તો આપણે કંઇક ઓળવી નથી જતાને ?
જરા તપાસજો.

સારુ લાગે અને ગમે તો સેર કરવાની કે કોપી પેસ્ત કરવાની છુટ છે...

Thursday, 26 March 2015

सत्यवादी हरिश्चंद्र

बहुत जमाने पहले की बात है। राजा हरिश्चंद्र सच बोलने और वचन. पालन के लिए मशहूर थे। उनकी प्रसिद्धि चारों तरफ फैली थी। ऋषि विश्वामित्र ने राजा हरिश्चंद्र की प्रसिद्धि सुनी। वे स्वयं इसकी परीक्षा करना चाहते थे। क्या हरिश्चंद्र हर कठिनाई झेलकर भी वचन का पालन करेंगे? आओ देखें कि विश्वामित्र ने कैसी परीक्षा ली?,
सतयुग में राजा हरिश्चंद्र नाम के एक राजा थे। राजा हरिश्चंद्र दानी थे और वचन के पक्के थे। वे जो वचन देते, उसे अवश्य पूरा करते। उनके बारे में कहा जाता, चाँद और सूरज भले ही अपनी जगह से हट जाएँ, पर राजा हरिश्चंद्र अपने वचन से कभी पीछे नहीं हट सकते। राजा हरिश्चंद्र की तरह ही उनकी रानी शैव्या और राजकुमार रोहिताश्व भी वचन का पालन करना अपना कर्तव्य मानते थे।
राजा की प्रसिद्धि दूर-दूर तक फैल गई। ऋषि विश्वामित्र ने राजा हरिश्चंद्र की परीक्षा लेने का निश्चय किया। उसी रात राजा हरिश्चंद्र ने एक सपना देखा। सपने में उन्होंने देखा, ऋषि विश्वामित्र को राजा ने अपना पूरा राज-पाट दान में दे दिया है।
आँख खुलने पर राजा ने सोचा, अगर सपने में भी उन्होंने अपना साम्राज्य मुनि विश्वामित्र को दान में दे दिया, तब अपने साम्राज्य पर उनका कोई अधिकार नहीं रह गया है। प्रातःकाल विश्वामित्र साधु के वेष में राजा के महल में पहॅुंचे। राजा हरिश्चंद्र ने उन्हें प्रणाम कर पूछा-
”मेरे लिए क्या आज्ञा है मुनिवर?“
”जो माँगूँगा दे सकोगे राजन्?“ मुस्कराकर ऋषि ने पूछा-
”मेरा सब कुछ आपका ही है ऋषिवर। बताइए क्या सेवा करूँ? राजा हरिश्चंद्र ऋषि विश्वामित्र को पहचान गए थे।“
”मुझे तुम्हारा पूरा राज्य, धन-संपत्ति और खजाना चाहिए।“
”यह सब तो पहले ही आपको दे चुका हूँ एऋषिवर।“ मुस्करा कर राजा ने कहा।
”वह कैसे राजन्?“ ऋषि विश्वामित्र आश्चर्य में पड़ गए।
”आज रात सपने में ही अपना पूरा राज-पाट, धन-संपत्ति आपको दे चुका हूँ, मुनिवर। अब मेरा सब कुछ आपका है।“
”मुझे खुशी है, तुम अपने वचन के पक्के हो राजन्। चलो, तुम्हारा साम्राज्य अब मेरा हुआ। अब बताओ दक्षिणा में तुम क्या दोगे?“ ऋषि उनकी पूरी परीक्षा ले रहे थे।
राजा सोच में पड़ गए। वह जानते थे दक्षिणा के बिना दान पूरा नहीं होता। कुछ देर सोचने के बाद उन्होंने कहा-
”मुनिवर, अब तो हमारे पास केवल हमारे शरीर बचे हैं। काशी नगरी के बाजार में हम अपने को बेचेंगे। जो मूल्य मिलेगा, वही आपकी दक्षिणा होगी।“
राजा अपनी रानी और पुत्र के साथ काशी की मंडी मे गए। वहाँ उन्होंने कहा- ”हम तीनों अपने को बेचने आए हैं। जो हमें खरीदेगा, हम उसकी जीवन भर सेवा करते रहेंगे।“
बाजार में एक डोम आया था। उसके पास बहुत काम था और उसे एक नौकर की आवश्यकता थी। डोम ने राजा को खरीद लिया। एक ब्राह्ममण ने रानी शैव्या और राजकुमार रोहिताश्व को खरीदा। राजा होकर भी हरिश्चंद्र ने एक डोम के यहाँ काम करना स्वीकार किया। वह उसकी हर तरह से सेवा करते। छोटे-से-छोटे काम करने मेें भी न हिचकते।
रानी शैव्या और राजकुमार रोहिताश्व ब्राह्ममण परिवार की सेवा करते। एक दिन रोहिताश्व ने माँ से पूछा-
”माँ, हम राजमहल में रहते थे, हमारे यहाँ इतने दास-दासी थे। अब हम दूसरों के यहाँ काम करके रूखा-सूखा क्यों खाते हैं?“
”बेटा, वचन का पालन करने के लिए तुम्हारे पिता ने अपना सब कुछ दान में दे दिया। अब हमारे पास कुछ नहीं बचा है।“
”माँ, पिता जी ने अपना पूरा राज-पाट खजाना, सब कुछ दान में क्यों दे दिया?“
”बेटा, तुम्हारे पिता जी से अगर कोई कुछ माँगे तो वह देने में कभी नहीं चूकते। वे दानी हैं। ऋषि, विश्वामित्र ने तुम्हारे पिता से उनका साम्राज्य माँगा। तुम्हारे पिता ने सहर्ष अपना साम्राज्य उन्हें दान में दे दिया। बताओ क्या उन्होंने गलती की?“
”नहीं माँ, पिता जी ने ठीक ही किया है। लेकिन वे हमारे साथ क्यों नहीं रहते?“
”वे एक दूसरी जगह रहकर अपने कर्तव्य का पालन कर रहे हैं, पुत्र। अब अपने शरीर पर भी हमारा अधिकार नहीं है।“
”वो क्यों माँ?“
”हमारे शरीर बेचकर जो मूल्य मिला, वो ऋषि विश्वामित्र को दक्षिणा में दे दिया गया। अब हमारे शरीरों पर हमारे स्वामी का अधिकार है। वह हमें जैसे रखेंगे, हम वैसे ही रहेंगे। उनकी सेवा करना हमारा धर्म है।“
”ओह माँ, पिता जी बहुत महान हैं। मैं जानता हूँ आने वाले समय में लोग पिता जी को बहुत आदर देंगे। उनका यश दूर-दूर तक फेलेगा।“
”तेरे पिता जी ने जो किया है, वह नाम या यश पाने के लिए नहीं किया पुत्र। उनका यही स्वभाव है।“ रानी ने बेटे को समझाया।
”तुम ठीक कहती हो, माँ।“
बहुत दिन बीत गए। राजा हरिश्चंद्र, रानी शैव्या और राजकुमार रोहिताश्व तन-मन से अपने-अपने मालिकों की सेवा करते रहे। उनके कष्ट देखकर भगवान का दिल भी पसीज गया। विश्वामित्र की परीक्षा पूरी हुई। विश्वामित्र ने राजा हरिश्चंद्र के पास जाकर कहा-
”तुम्हारी परीक्षा पूरी हुई एराजन्। तुम परीक्षा में खरे उतरे। वचन-पालन, दान और सच्चाई के लिए तुम्हारा नाम हमेशा आदर के साथ लिया जाता रहेगा। मैं तुम्हें तुम्हारा पूरा साम्राज्य वापस लौटाता हूँ।“
”नहीं मुनिवर, दिया हुआ दान वापस लेना अधर्म है। अब इस साम्राज्य पर मेरा कोई अधिकार नहीं है।“ हाथ जोड़कर राजा ने अपना राज्य वापस लेना अस्वीकार कर दिया।
”मैं ऋषि होकर इस साम्राज्य का क्या करूँगा, राजन्। तुम राजा की तरह शेष जीवन बिताओ।“
”यह असंभव है ऋषिवर। अब मैं राज-पाट त्याग कर, भगवान की सेवा करूँगा।“
बहुत कहने पर भी राजा हरिश्चंद्र ने अपना साम्राज्य वापस नहीं लिया। अंत में राजकुमार रोहिताश्व को युवराज बनाया गया। राजा हरिश्चंद्र ने रानी शैव्या के साथ वानप्रस्थ ग्रहण कर लिया।
राजा हरिश्चंद्र का त्याग और वचन-पालन, आदर्श है। वचन-पालन और त्याग के लिए राजा हरिश्चंद्र को आज भी याद किया जाता है।

गायत्री की दस भुजाएं

पार्वती ने पूछा, ‘‘प्रभु ! गायत्री की दश भुजाओं का क्या अर्थ है ?’शिव बोले, 

‘‘पार्वती ! मनुष्य जीवन के दस शूल अर्थात् कष्ट हैं। ये दस कष्ट है—

दोषयुक्त दृष्टि, परावलंबन, भय, क्षुद्रता, असावधानी, क्रोध, स्वार्थपरता, 

अविवेक, आलस्य और तृष्णा। गायत्री की दस भुजाएं 

इन दस कष्टों को नष्ट करने वाली हैं। 

इसके अतिरिक्त गायत्री की दाहिनी पांच भुजाएं मनुष्य के जीवन में 

पांच आत्मिक लाभ—आत्मज्ञान, आत्मदर्शन, आत्म-अनुभव, 

आत्म-लाभ और आत्म-कल्याण देने वाली हैं 

तथा गायत्री की बाईं पांच भुजाएं पांच सांसारिक लाभ—स्वास्थ्य, 

धन, विद्या, चातुर्य और दूसरों का सहयोग देने वाली हैं। 

दस भुजी गायत्री का चित्रण इसी आधार पर किया गया है। 

ये सभी जीवन विकास की दस दिशाएं हैं। 

माता के ये दस हाथ, साधक को उन दसो दिशाओं में सुख 

और समृद्धि प्रदान करते हैं। 

गायत्री के सहस्रो नेत्र, सहस्रों कर्ण, सहस्रों चरण भी कहे गए हैं। 

उसकी गति सर्वत्र है।


Thursday, 12 March 2015

एसी लागी लगन मीरां हो गई मगन

एसी लागी लगन...
एसी लागी लगन...
एसी लागी लगन... लागी रे..... लगन

एसी लागी लगन मीरां हो गई मगन (२)
वो तो गली गली हरि गुंन गाने लगी

महेलो में पली बनके जोगन चली (२)
मीरां दीवानी कहाने लगी


एसी लागी लगन मीरां हो गई मगन (२)
वो तो गली गली गली गली गाने लगी

कोई रोके नही कोई टोके नही
मीरां गोवीन्दा गोपाला गाने लगी
कोई रोके नही कोई टोके नही
कोई रोके नही कोई टोके नही

मीरां गोवीन्दा गोपाला गाने लगी
बेठी संतो के संग रंगी मोहन के रंग 

मीरां प्रेमी प्रीतम को मनाने लगी
वो तो गली गली हरि गुंन गाने लगी

एसी लागी लगन मीरां हो गई मगन (२)
वो तो गली गली गली गली गाने लगी
वो तो गली गली गली गली गाने लगी (२)

Thursday, 19 February 2015

हम हस रहे थे वोह देख रहे थे

हम हस रहे थे वोह देख रहे थे

हम रो रहे थे वोह मना रहे थे

हम उदास थे वोह खुसीयां दे रहे थे

हम सो रहे थे वोह रक्षण कर रहे थे

हम डरके मारे छुप रहे थे वोह बचा रहे थे

हमने पत्थर उठाया बचने के लीये वोह चल दीये अब तुं ही लड ले

हमें अपना  बचाव करना चाहीये मगर लडना नही चाहीये

सब कुछ उपर वाले छोड दें  वोह सब संभाल लेगा 

बस कार्य करते रहे

राधे कृष्ण






Wednesday, 18 February 2015

tu mane bhagwan ek vardaan aapi de

[tu mane bhagwan ek vardaan aapi de
jya vase che tu mane tya sthaan aapi de]…(2)
 
[hu jivu chu ae jagat ma jya nathi jeevan
zindagi nu naam che bas boj ne bandhan]…(2)
 
[aakhri avtaar nu mandaan bandhi de
jya vase che tu mane tya sthaan aapi de]…(2)
 
[tu mane bhagwan ek vardan aapi de
jya vase che tu mane tya sthaan aapi de]…(1)
 
[aa bhoomi ma khoob gaaje paap na padgham
besuri thai jayi amari punya ni sargam]…(2)
 
[dil rubana taar nu bhangan saandhi de
jya vase che tu mane tya sthaan aapi de]…(2)
 
[tu mane bhagwan ek vardaan aapi de
jya vase che tu mane tya sthaan aapi de]…(1)
 
[jo vatan ma jya Lagi che sau kare shoshan
jom a jata koi ahiya na kare poshan]…(2)
 
[matlabi sansar nu jo daan kaapi de
jya vaseche tu mane tya sthaan aapi de]….(4)
 
tu mane bhagwan ek vardaan aapi de
[jya vaseche tu mane tya staan aapi de]…(4)
 

તમારું મુલ્ય કેટલું છે તે તમારી ઉપર નિર્ભર છે

એક યુવાને એના પિતાને પૂછ્યું કે પપ્પા આ માનવજીવનનું મૂલ્ય શુ છે ? પિતાએ જવાબમાં દીકરાના હાથમાં એક પથ્થર મુક્યો અને કહ્યું, "તું આ પથ્થર...