offers
Friday, 23 October 2015
અંતરાત્માનો અવાજ સાંભળવાની જરુર છે.
Thursday, 22 October 2015
દીકરી એટલે સુખ-શાંતિનું પ્રતિક
" જો રાવણ ને ઘેર એક દીકરી હોત તો.............."
એક નાનું ગામ હતું
.ગામ ની ગણી ગાંઠી વસ્તી
વાણીયા, બ્રાહ્મણ, જેવા સવર્ણ થી માંડી ને કોળી, કણબી,રાજપૂત અને કાટ્યુ વર્ણ પણ ગામ માં રહે.
ગામ ની અંદર એક માથાભારે દરબાર રહે ગામ ના મોટાભાગ ના લોકો ને અને બહેન -દીકરીઓ ને એક યા બીજા પ્રકારે રંજાડવા નો તેનો સ્વભાવ
પાંચ પાંચ વર્ષ ના લગ્ન જીવન પછી નિસંતાન માથાભારે દરબાર ગામ માં માતેલાસાંઢ ની જેમ
ત્રાસ વર્તાવતો હતો.મોટા ચહેરા પર ભરાવદાર, વીંછી ના આંકડા જેવી વાંકડી મુછ, , લીંબુ ની ફાડજેવી મોટી લાલઘુમ આંખ .તેની આગવી ઓળખ હતી.
માર-ઝુડ કરવી,ખુનાખરાબી કરવા તે તેના કાર્યક્ષેત્ર ની બહાર હતું.પણ ગામ ની પનિહારીઓ ની
મશ્કરી કરવી,તેમજ માનસિક રંજાડ પોહ્ચાડવા અને પરપીડન વૃતિ તેનો શોખ હતો.
દરબાર ના ઘર નજીક એક નાનું મંદિર હતું ગામ નો એક બ્રાહ્મણ હમેશા વેહલો સવારે તે મંદિરે શંકર ની પૂજા કરવા જાય.પૂજા કરવા જતા રસ્તા માં દરબાર નું ઘર પસાર કરવું પડે .
બ્રાહ્મણ નિત્ય ક્રમ પ્રમાણે રોજે પૂજા કરવા જાય, તે સમયે દરબારને પોતાના ઘર ની બહાર ઓટલે બેસી ને સવાર માં દાતણ કરવા નો નિયમ .
રોજ બ્રાહ્મણ ને પૂજા કરવા નીકળવું, અને દરબાર તેને ચીડવવા હાક....... થૂઊઊઊઊઊ ..એમ મોટે થી તેને થુંક ઉડાડે. બ્રાહ્મણ તેના થુંક થી બચવા સંકોરાતો ,સંકારતો પસાર થાય., અને જો કદાપી તેનું થુંક જરાક પણ ઉડે તો તે ફરી ઘેર જઈ ,ફરી નાહી અને પછી ફરી પૂજા કરવા જાય,
"માથાભારે સાથે કોણ પંગો લે " તેવા આશય થી લોકો ચુપ ચાપ સહન કરતા હતા,
તેવી જ રીતે આ બ્રાહ્મણ પણ મૂંગે મોઢે નીચું જોઈ ને મંદિરે જતા આ ત્રાસ સહેતો હતો.
વર્ષો સુધી આમ બનતું આવ્યું
.એક દિવસ સવારે બ્રાહ્મણ નિત્યક્રમ મુજબ મંદિરે જતો હતો,અને દરબાર તેના નિયમ મુજબ ઓટલે બેસી ને દાતણ કરતો હતો. બ્રાહ્મણ તેના ઓટલા પાસે થી પસાર થયો
પણ આજે દરબારે તેનો ક્રમ ચુકી ને હાક્કક્ક્ક્ક..... થૂઊઊઊઊઊ.. ન કરતા બ્રાહ્મણ ને નવાઈ લાગી
બ્રાહ્મણે વિચાર્યું કે કદાચ દરબાર નું ધ્યાન તેના ઉપર નહિ પડ્યું હોય.તેથી સહાશ્ચર્ય તે મૂંગે મોઢે ત્યાંથી પસાર થઇ ગયો.ફરી બીજે દિવસે પણ ન ધારેલું તેમ જ બન્યું.તેવી રીતે ત્રીજે દિવસે પણ દરબાર શાંત રહ્યો.હવે બ્રાહ્મણ થી ન રેહવાયું, તેણે દરબાર નજીક જઇ ને પૂછ્યું " દરબાર,હું ઘણા વખત થી તમારા વર્તન ને જોતો આવ્યો છું, કે જયારે જયારે હું પસાર થાઉં ત્યારે તમો મને થુંક ઉડાડતા હતા પણ છેલા ત્રણ દિવસ થી તમો એ તમારું વર્તન બદલાવ્યા નું કારણ મને ન સમજાયું "
દરબાર દાતણ કરતા કરતા ઉભા થયા.બંને હાથ જોડી ને બોલ્યા " હે બ્રહ્મદેવ,ચારેક દિવસ પહેલા મારે ઘેર પુત્રી પ્રસવ થયો છે હવે હું એક દીકરી નો બાપ બન્યો છું.દીકરી નો બાપ નફફટ કે બેશરમ હોય તો અમારા સમાજ માં દીકરી નો કોઈ હાથ ન જાલે.એટલુજ નહી પણ હું તમને એક ને જ આજ સુધી થુંકતો હતો, પણ હવે અમારો આખો સમાજ મારી સામે થુંકશે આજ સુધી હું જે હતો તે હું નહિ મારો ભુતકાળ હતો કાલ સુધી ગામ ની બેહન દીકરી ને મેં રંજાડી છે તેની જગ્યા એ આજે મને મારી દીકરી દેખાય છે.
કાલે મારી દીકરી મોટી થશે અને એ પણ ગામ ને કુવે પાણી ભરવા જવાની.આજ ની પનિહારીઓ માં મને મારી દીકરી નું મોઢું દેખાયું,.બ્રહ્મદેવ મને ક્ષમા કરો. મને મારા ભુતકાળ ના વર્તન ઉપર ઘણું દુખ, અને શરમ છે આપ ભૂદેવ છો ઈશ્વર ના પૃથ્વી ઉપર ના તમો પ્રતિનિધિ છો,કૃપા કરી મને માફ કરો "કહેતા જ દરબાર ની આંખે આંસુ ના મોતિયા જામીગયા.
હસતા ચહેરે બ્રાહ્મણે જવાબ આપ્યો "દરબાર, સવાર નો ભૂલેલો સાંજે પાછો આવે તો તે ભૂલેલો નથી ગણાતો તમને જે આજે સાચું વસ્યું તે વિચાર મને મહિનાઓ થી આવતો હતો કે દરબાર ની શાન ઠેકાણે લાવવા તેને ઘેર એક દીકરી હોવી જરૂરી છે અને ભગવાને મને સાંભળ્યો, ઈશ્વર તમને સદબુદ્ધી આપે " તેવા આશિર્વચન કહીં, બ્રાહ્મણ પૂજા કરવા મંદિરે ચાલ્યો ગયો
પૂજા કરી ને પાછા ફરતા ફરી દરબાર નું ઘર વચ્ચે આવ્યું તેના ઘર તરફ નજર નાખતા જ બ્રાહ્મણ વિચારે ચડી ગયો કે કુદરત ની લીલા કેવી અકળ છે, કે જેનાથી ભલભલા થરથર કાંપતા હતા તે માથાભારે દરબાર ને ઘેર માત્ર ત્રણ દિવસ થી પુત્રીનો જન્મ થતા કેટલું પરિવર્તન આવી ગયું ?
જો કદાચ રાવણ ને ઘેર પણ એક પોતાનીપુત્રી હોત ,તો સીતા નું હરણ થયું ન હોત અને તેથી કદાચ રામાયણ પણ લખાયું ન હોત ,રામ સામે રાવણ ની દુશ્મની ન થઇ હોત,રામ ને પવનપુત્ર હનુમાન જેવો ભક્ત મળ્યો ન હોત , વિભીષણ લોહી ના સંબંધ તોડી ને દુશ્મન ને આશરે ગયો ન હોત અને તો આપણ ને બહુ પ્રચલિત કેહવત
" ઘર કા ભેદી લંકા ઢાંએ " પણ મળી ન હોત.
-- અજ્ઞાત
Sunday, 27 September 2015
सांप का जहर ओर सदमा
Wednesday, 16 September 2015
મારા પિતા
મારા પિતા,
આજે જે લેખ લખવા જઈ રહ્યો છું તે માત્ર લેખ નહિ પરંતુ મારી જીંદગી છે. મારું સર્વસ્વ છે મારો આત્મા છે ...મારા ગુરુ , મારા સખા , મારા સુખ દુખ ના ભાગીદાર, મારા ઈશ્વરે નીમેલા મારા જન્મ દાતા અને પાલનહાર મારા પિતા....
કોઈપણ વ્યાખ્યાનકાર માતા વિષે બોલ્યા કરે છે, સંત મહાત્માઓ પણ માતાના મહત્વ વિશેજ વધારે કહે છે, દેવ-દેવીઓએ પણ માતાના જ ગુણગાન ગયા છે. લેખકો-કવિઓ એ પણ માતાના ખુબ વખાણ કર્યાં છે. સારી વસ્તુ ને માતાની જ ઉપમા આપવામાં આવે છે. પણ ક્યાય પિતા વિષે બોલાતું નથી. કેટલાક લોકોએ પિતાની કલ્પના ને કલમની ભાષામાં મૂકી છે પણ તે ઉગ્ર, વ્યસની અને મારઝૂડ કરનારા જ હોયછે.... આવા પિતાઓ સમાજમાં એકાદ-બે ટકા હશેજ પણ સારા પિતાઓ વિષે શું લખાયું છે ?
પિતાના ઠેકઠેકાણે સંધાયેલા જોડા જોઈએ તો તેમનો પ્રેમ નજરે ચડે. તેમનું ફાટેલું ગંજી જોઈએ તો સમજાય કે ” આપણાંનસીબના કાણા તેના ગંજીમાં પડ્યા છે ”. તેમનો દાઢી વધેલો ચહેરો તેમની કરકસર દેખાડે છે. દીકરા દીકરી ને નવા જીન્સ લઇ આપશે પણ પોતે તો જુનો લેંઘોજ વાપરશે. સંતાનો ૧૦૦/૨૦૦ રૂપિયા પાર્લર કે સલુન માં જઈને બીલ કરશે પણ તેમનાજ ઘરના પિતા દાઢીનો સાબુ ખલાશ થઇ ગયો હશે તો ન્હાવાના સાબુથી દાઢી કરી લેશે. ઘણીવાર તો ખાલી પાણી લગાડી નેજ દાઢી કરી લેતાં હોય છે. રોજ આપણને સગવડ કરી આપનારી માતા યાદ રહે છે. પણ જીવનની આજીવિકાની વ્યવસ્થા કરનારા પિતાને આપણે કેટલી સહજતા થી ભૂલી જઈએ છીએ ?
નોકરી માં એક દિવસ રવિવારે રજા મળતા જ ગામડે ફાટ વળી ને ખેતી કામ કરતા પણ મેં જોયેલા છે અને કપાસ ની ગાંસડી માથે ઉચકી ને સેઢા સુધી લાવતા જોયા છે પિતા ને ... બધાની સામે મોકળા મને માતા રડી શકે છે પણ રાત્રે તકીયામાં મોઢું છુપાવીને ડુસકા ભરે છે તે પિતા હોય છે.
માતા રડે છે પણ પિતાને તો રડી પણ શકાતું નથી. પોતાના પિતા મૃત્યુ પામે છતાં આપણાં પિતા રડી શકતા નથી, કારણકે નાના ભાઈ બહેનો ને સાચવવાના હોયછે, પોતાની માતા મૃત્યુ પામેતોપણ પિતા રડી શકતા નથી. કારણકે બહેન ને આધાર આપવાનો હોય છે.
પત્ની અડધે રસ્તે સાથ છોડી ને જતી રહે તો બાળકોના આંસુ લૂછવાનું કામ પણ પિતા એજ કરવાનું હોય છે. પિતા માંદા પડે ત્યારે તરતજ દવાખાને જતા નથી. તે માંદગીથી ડરતા નથી પણ જો ડોક્ટર એકાદ મહિનો આરામ કરવાનું કહી દેશે. તો શું કરવું તેનો ડર લાગે છે. કારણકે દીકરીના લગ્ન અને દીકરાનું શિક્ષણ બાકી હોય છે. ઘરમાં આવકનું બીજું કોઈપણ સાધન હોતું નથી. પહોચ હોય કે નહોય પણ દીકરાને એન્જીનીયરીંગ કે મેડીકલમાં પ્રવેશ અપાવે છે. ખેંચ ભોગવીને પણ બાળક ને નિયમિત હોસ્ટેલમાં પૈસા મોકલેછે, પણ કેટલાક દીકરાઓ જે તારીખે પૈસા મળે તેજ તારીખે પરમીટરૂમમાં પાર્ટીઓ આપે છે અને જે પિતાએ પૈસા મોકલ્યા હોય તેનીજ મજાક ઉડાડે છે. કોઈપણ પરીક્ષા નું પરિણામ આવે ત્યારે માતાજ સહુથી નજીકની લાગે કારણકે બાજુમાં લે છે, વખાણ કરે છે, આશિષ આપે છે, પણ ગુપચુપ જઈને પેંડાના પડીકા લાવનારા પિતા કોઈના ધ્યાનમાં રહેતા નથી. બાળક આવવાનું હોય તેવી સુવાવડી સ્ત્રીનું ખુબ મહત્વ હોય છે પણ હોસ્પીટલની લોબીમાં અસ્વસ્થ થઈન આમ થી તેમ આંટા મારનારા એ આવનારા બાળકના પિતાની કોઈ નોંધ લેતું નથી. દેવકી-યશોદા ના કાર્યની પ્રશંશા અવશ્ય કરીએ પણ નદીના પુરમાંથી મધરાતે માથા ઉપર બાળકને સુરક્ષિત પણે લઇ જનારા
વાસુદેવને પણ મહત્વ આપીએ. રામ એ કૌશલ્યાના પુત્ર અવશ્ય છે પણ પુત્ર વિયોગથી તરફડીને મૃત્યુ પામ્યા તે પિતા દશરથ હતા..
કોઈપણ સારા પ્રસંગે ઘરની દરેક વ્યક્તિ જતી હોય છે,પણ મરણ ના પ્રસંગે પિતાએજ જવું પડે છે. પિતા શ્રીમંત સાસરું ધરાવતી દીકરીને ત્યાં બહુ જશે નહિ પણ દીકરી ગરીબ ઘરમાં આપી હશે. તો ભલે ઉભા ઉભા ખબર કાઢવા જવું પડે, તે ચોક્કસ દીકરીના ઘરના ચક્કર કાપશે.... યુવાન દીકરો ઘરે મોડો આવે ત્યારે પિતાજ તેની રાહ જોઇને મધરાત સુધી ઉજાગરો કરતા હોય છે. દીકરા ની નોકરી માટે સાહેબ સામે લાચાર થનારા પિતા, દીકરીને પરણાવવા માટે ઠેક ઠેકાણે મુરતિયા જોવા ઉંબરા ઘસતા પિતા, ઘરના લોકો માટે પોતાની વ્યથા અને જરૂરતને કોરાણે મૂકી દેતા પિતા કેટલા ગ્રેટ હોય છે ખરુંને ?
આ બધા જ અનુભવો નઝરે મારી અને લોકો ના જીવન માં બહુ જ બારીકાઇ થી જોયા છે હજુ પિતા વિષે ધણું બધું લખી શકાય છે.
બસ હવે વધુ કઈ નહિ લખી શકું ......I LOVE MY FATHER ....... કદાચ શ્રી કૃષ્ણ અને મારા પિતા બંને સામે હોય મારી અને એક ની પસંદ કરવા નું કહે તો હું દોડી ને મારા પિતા ની જ આંગળી પકડું ...
જો તમને આ લેખ અને વાતો ગમી હોય તો શેર કરજો મિત્રો સાથે જેથી કરી ને એમના કોઈક શબ્દો કોઈક માં-બાપ ને વૃધ્ધાશ્રામે જતા અટકાવશે. તો મારો અને તમારો જન્મારો સફળ ગણાશે ....
Saturday, 22 August 2015
समस्या ओर जीवन
Sunday, 16 August 2015
जीवन का हल
Tuesday, 11 August 2015
जीवन का मूल्य
તમારું મુલ્ય કેટલું છે તે તમારી ઉપર નિર્ભર છે
એક યુવાને એના પિતાને પૂછ્યું કે પપ્પા આ માનવજીવનનું મૂલ્ય શુ છે ? પિતાએ જવાબમાં દીકરાના હાથમાં એક પથ્થર મુક્યો અને કહ્યું, "તું આ પથ્થર...
-
धरती की शान तू है मनु की संतान, तेरी मुट्ठियों में बंद तूफ़ान है रे. मनुष्य तू बड़ा महान है, भूल मत, मनुष्य तू बड़ा महान है. तू जो चाहे पर्वत प...
-
असफलता घेरे तुझे.. मार्ग हों अवरुद्ध, पास ना हो धन तेरे और कार्य हो अपार तो भाग मत कर प्रयास कर प्रयास भाग मत चाहे तू हंस किंतु आ...
-
વિશ્વાસુના વિશ્વાસુ ઓ વિશ્વાસુના વિશ્વાસુ વિશ્વાસુના વિશ્વાસુ ઓ વિશ્વાસુના વિશ્વાસુ નયન કમળથી ધારા વહેતી પ્રભુ નયન કમળથી ધારા વહેતી પ્રભુ ન...