offers

Wednesday, 18 December 2013

કાળજા કેરો કટકો મારો, ગાંઠથી છૂટી ગ્યો …. – કવિ દાદ

કાળજા કેરો કટકો મારો, ગાંઠથી છૂટી ગ્યો
મમતા રૂવે જેમ વેળુમા વીરડો ફૂટી ગ્યો
છબતો નહીં જેનો ધરતી ઉપર, પગ ત્યાં થીજી ગ્યો,
ડુંગરા જેવો ઉંબરો એણે માંડ રે ઓળંગ્યો
બાંધતી નહીં અંબોડલો બેની, ઇ મર ને છૂટી ગ્યો,
રાહુ બની ઘુંઘટડો મારા ચાંદને ગળી ગ્યો
આંબલીપીપળી ડાળ બોલાવે હે બેના એકવાર હામું જો
અરે ધૂમકા દેતી જે ધરામાં ઈ આરો અણહર્યો
ડગલે ડગલે મારગ એને સો સો ગાઉનો થ્યો
ધારથી હેઠી ઉતરી બેની મારો સૂરજ ડુબી ગ્યો
લૂંટાઈ ગ્યો મારો લાડખજાનો ‘દાદ’ હું જોતો રયો
જાન ગઈ જાણે જાન લઈ હું તો સૂનો માંડવડો


Tuesday, 17 December 2013

કેદ માટે જ અંગ બદલે છે જીવ કેવળ સુરંગ બદલે છે

કેદ માટે જ અંગ બદલે છે
જીવ કેવળ સુરંગ બદલે છે

હું તને ઓળખું કઈ રીતે ?
દર વખતે રૂપરંગ બદલે છે

આંસુ ખારાં જ છે સદીઓથી 
સ્વાદ તો બસ પ્રસંગ બદલે છે

છો કરે કોઈ કાંકરીચાળો -,
જળ કદી ક્યાં તરંગ બદલે છે

જાત બદલી શકે તો બદલી લે
આંગળીમાં શું નંગ બદલે છે ?

- બેદિલ 

Sunday, 15 December 2013

વૈષ્ણવ જન તો તેને કહિયે જે પીડ પરાયી જાણે રે પર દુ:ખે ઉપકાર કરે તો યે મન અભિમાન ન આણે રે. ॥ધૃ॥

વૈષ્ણવ જન તો તેને કહિયે જે પીડ પરાયી જાણે રે
પર દુ:ખે ઉપકાર કરે તો યે મન અભિમાન ન આણે રે. ॥ધૃ॥


સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે
વાચ કાછ મન નિશ્છળ રાખે ધન ધન જનની તેની રે. ॥૧॥

સમદૃષ્ટિ ને તૃષ્ણા ત્યાગી પરસ્ત્રી જેને માત રે
જિહ્વા થકી અસત્ય ન બોલે પરધન નવ ઝાલે હાથ રે. ॥૨॥

મોહ માયા વ્યાપે નહિ જેને, દૃઢ વૈરાગ્ય જેના મનમાં રે
રામ નામ શુ તાળી રે લાગી સકળ તીરથ તેના તનમાં રે. ॥૩॥

વણ લોભી ને કપટ રહિત છે, કામ ક્રોધ નિવાર્યાં રે
ભણે નરસૈયો તેનું દર્શન કરતાં કુળ એકોતેર તાર્યાં રે. ॥૪॥

-

મારી નાડ તમારે હાથે હરિ સંભાળજો રે મુજને પોતાનો જાણીને પ્રભુપદ પાળજો રે…

મારી નાડ તમારે હાથે હરિ સંભાળજો રે
મુજને પોતાનો જાણીને પ્રભુપદ પાળજો રે…

પથ્યાપથ્ય નથી સમજાતું, દુઃખ સદૈવ રહે ઉભરાતું
મને હશે શું થાતું નાથ નિહાળજો રે…

અનાદિ આપ જ વૈદ છો સાચા, કોઇ ઉપાય વિશે નહિ કાચા
દિવસ રહ્યા છે ટાંચા વેળા વાળજો રે…

વિશ્વેશ્વર શું હજી વિચારો, બાજી હાથ છતાં કાં હારો
મહા મુંઝારો મારો નટવર ટાળજો રે…

કેશવ હરિ મારૂં શું થાશે, ઘાણ વળ્યો શું ગઢ ઘેરાશે?
લાજ તમારી જાશે ભૂધર ભાળજો રે…

- કવિ કેશવ

સરદાર પટેલ પોતાના છેલ્લા દિવસો માં આ ભજન બહુ ગાતા .... 15 december

સરદાર જયંતિ છે ..ભજન ની તાકાત બહુ છે ..... ભજન નો આશ્રય એ મોટી મૂડી છે .

અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ, જુજવે રૂપ અનંત ભાસે;

અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ,
જુજવે રૂપ અનંત ભાસે;
દેહમાં દેવ તું, તેજમાં તત્વ તું,
શૂન્યમાં શબ્દ થઇ વેદ વાસે … અખિલ બ્રહ્માંડમાં …

પવન તું, પાણી તું, ભૂમિ તું ભૂધરા,
વૃક્ષ્ર થઇ ફૂલી રહ્યો આકાશે;
વિવિધ રચના કરી અનેક રસ લેવાને,
શિવ થકી જીવ થયો એ જ આશે … અખિલ બ્રહ્માંડમાં …

વેદ તો એમ વદે શ્રુતિ-સ્મૃતિ સાખ દે,
કનક કુંડલ વિષે ભેદ ન્હોયે;
ઘાટ ઘડિયા પછી નામરૂપ જૂજવાં,
અંતે તો હેમનું હેમ હોયે … અખિલ બ્રહ્માંડમાં …

ગ્રંથ ગરબડ કરી, વાત નવ કરી ખરી,
જેહને જે ગમે તેને પૂજે;
મન-વચન-કર્મથી આપ માની લહે,
સત્ય છે એજ મન એમ સૂઝે… અખિલ બ્રહ્માંડમાં…

વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ્ર તું,
જોઉં પટંતરો એ જ પાસે;
ભણે નરસૈયો એ જ મન તણી શોધના,
પ્રીત કરું પ્રેમથી પ્રગટ થાશે … અખિલ બ્રહ્માંડમાં…

- નરસિંહ મહેતા


Saturday, 14 December 2013

સંત સહુને મુક્તિ વહેચે નહી વાઘા કે ડગલા,

પાંચિકાના હોય પાંચીકાના હોય
હોય નહી સંતો ના ઢગલા,

સંત સહુને મુક્તિ વહેચે નહી વાઘા કે ડગલા,

કેવળ હસતી ગરીબી કે ગરક અડે નહી કસા,
નિજમાં નીજની મબલખ મસ્તી છતાં ઉલ્મની દસા,

ટેવે સહુને સરખા એને નહી અરી નહી સગલાં,
આજ કોઈને ફળીયે..... 
કાલ કોઈને અરણીએ જડે, 

પડે ન સહેજે ખુદનો દાગો એમ જગત ને અડે,
દુર્લભ એ દરવેશ જેના કાળ સાચવે પગલા,

પાંચીકાના હોય પાંચીકાના હોય
હોય નહી સંતો ના ઢગલા,
સંત સહુને મુક્તિ વહેચે નહી વાઘા કે ડગલા.

પારેખ  સાહેબ  ની કવિતા 


Friday, 13 December 2013

Maru man mor bani thangat kare Man mor bani thangat kare

Ghanghor ghan-ghan, ghan kare
Ghanghor ghan-ghan, ghan kare

Ghanghor kare chanhu ore maaru ma..
Mor bani thangat kare
Man mor bani thangat kare
Man mor bani thangat kare..

Maru man mor bani thangat kare
Man mor bani thangat kare
Mor bani thangat kare
Man mor bani thangat kare

Ghanghor kare chanhu ore maaru ma..
Mor bani thangat kare
Man mor bani thangat kare
Man mor bani thangat kare..

Maru man mor bani thangat kare
Man mor bani thangat kare
Mor bani thangat kare
Man mor bani thangat kare

ZAVERCHAND MEGHANI


તમારું મુલ્ય કેટલું છે તે તમારી ઉપર નિર્ભર છે

એક યુવાને એના પિતાને પૂછ્યું કે પપ્પા આ માનવજીવનનું મૂલ્ય શુ છે ? પિતાએ જવાબમાં દીકરાના હાથમાં એક પથ્થર મુક્યો અને કહ્યું, "તું આ પથ્થર...